જામનગર : જામનગર શહેરી સહીત જીલ્લામાં કોરોનાનું ચિત્ર દિવસે દિવસે વધુ બહામણું થઇ રહ્યું છે. આજે વધુ ૪૬ દર્દીઓ નોંધાયા છે જે કાલ કરતા વધારે દર્શાવે છે. એમાય શહેર કરતા જિલામાં વધુ દર્દીઓ નોંધાયા છે જે કોરોના કાળમાં પ્રથમ વખત બન્યું છે. બીજી તરફ કોવીડ હોસ્પિટલમાં વધુ બે દર્દીઓના મૃત્યુ નિપજયા છે.
જામનગર શહેર-જીલ્લામાં કોરોનાએ જેટ ગતિ પકડતા વધુ એક વખત ચિંતાનાં વાદળો ઉભરી આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વહીવટી તંત્ર લોકોને સુફિયાણી સલાહો આપવામાં વ્યસ્ત થયું છે. તો બીજી તરફ કોરોનાની ગતિ ચિંતાનો વિષય બની છે. છેલ્લા બે દિવસમાં નોંધાયેલ ૮૦ દર્દીઓ અને સાત મોત બાદ આજે વધુ દર્દીઓ સામે આવ્યા છે. આજે જામનગર શહેરમાં ૨૩ અને જીલ્લામાં ૨૪ દર્દીઓ નોંધાયા છે. કોરોના કાળ જ્યારથી શરુ થયો છે ત્યારથી જામનગર શહેરમાં જ દર્દીઓની સંખ્યા હમેશા વધુ આવતી હતી પ્રથમ વખત એવું બન્યું છે કે કોરોનાના દર્દીઓ જીલ્લામાં વધુ આવ્યા છે. જેને લઈને જીલ્લાની સ્થિતિ વધુ ખરાબ કહી શકાય,