Exclusive : જામનગર જિલ્લા પંચાયતના આ પૂર્વ કર્મચારી સામે ACBમાં ફરિયાદ

0
1629

જામનગર : જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી સામે આવક કરતા 24 લાખની વધુ સંપત્તિ હોવાની એસીબીએ ફરિયાદ નોંધી છે.
વર્ગ ત્રણમાં વર્ક આસીસીટન્ટ તરીકે નિવૃત થયેલ કર્મચારી સામે ગુનો નોંનધાતા સનસનાટી મચી ગઇ છે.

આરોપી દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર,તત્કાલીન વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩, ( હાલ: નિવૃત)
બાંઘકામ વિભાગ, જીલ્લા પંચાયત, જામનગર વાળા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલ્કત
વસાવ્યાની અરજી થયેલ. જે અરજીની પ્રાથમિક તપાસ દરમ્યાન તા.૦૧.૦૨.૨૦૦પ થી
તા.૩૧,૦૩, ૨૦૧૫ ના સમયગાળા દરમ્યાન પોતાના તથા પોતાની પત્ની તથા પોતાના પુત્ર તથા
પોતાની પુત્રીના નામે સ્થાવર જંગમ મિલ્કતોમાં કુલ રોકાણ ખર્ચ કુલ રૂ.૭૯,૩૫,૮૨૬ /- નું કરેલા
છે. જયારે તેમની તથા તેમના પત્ની તથા તેમની પુત્રી ની આ સમયગાળા દરમ્યાનની કાયદેસરની કુલ
આવક રૂ.૫૪,૫૮,૫૯૧ –ની થાય છે અને તેટલું જ રોકાણ કરવા તેઓ સક્ષમ છે. તેમ છતાં આરોપી
દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે પોતાની જામનગર જીલ્લા પંચાયત ખાતેની રાજ્ય સેવક તરીકે ની.
કાયદેસરની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીતરસમો અપનાવી, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહીત
ગેરવર્તણુંક આચરી, લાંચીયાવૃતિથી પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર અવેજ દ્વારા નાણાં મેળવી
તે નાણાંમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં રૂ. ૨૪,૭૭,૨૩૫ –
(ચોવીસ લાખ સીત્તોતેર હજાર બસો પાંત્રીસ પુરા) ની અપ્રમાણસરની મિલકતો વસાવેલ હોય જે
આવકના પ્રમાણમાં ૪૫.૩૮% નું સ્થાવર જંગમ મિલ્કતોમાં અપ્રમાણસરનું રોકાણ કરેલ હોવાનું
તપાસ દરમ્યાન ફલીત થયેલ હોય, જેથી તેના વિરૂધ્ધ પ્રાથમિક તપાસના અંતે આજરોજ પોલીસ
ઇન્સ્પેકટર, એ,ડી,પરમાર એ.સી.બી. પો.સ્ટે. જામનગરનાઓએ સરકાર તરફે ફરીયાદી બની જામનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૫ ૨૦૨૧ થી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-૧૯૮૮
ની કલમ ૧૩(૧)ઇ તથા ૧૩(૨) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here