જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં છૂટો છવાયો વરસાદ, જામ વંથલીમાં અડધો ઇંચ

0
1

જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તારીખ 18/07/2026 ના રોજ જાહેર કરાયેલા પીએચસી કેન્દ્રોના દૈનિક વરસાદી પત્રક મુજબ, જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જોકે, અમુક પીએચસી કેન્દ્રોની હદમાં આવતા ગામોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, જામનગર તાલુકાના જામવંથલી પીએચસી વિસ્તારમાં સૌથી વધુ ૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે. તેની સાથે જ મોટી ભલસાણ વિસ્તારમાં પણ ૧૨ મી.મી. વરસાદ પડ્યો છે. ધ્રોલ તાલુકાના લૈયારા અને લાલપુર તાલુકાના હરીપર પીએચસી કેન્દ્ર પર એકસરખો ૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, દરેડમાં ૩ મી.મી. તેમજ વસઈ, લાખાબાવળ, ઘનડા, પીપરટોડા, પડાણા અને મોડપર પીએચસી વિસ્તારોમાં માત્ર ૨ મી.મી. જેટલો જ નજીવો વરસાદ નોંધાયો છે.

જિલ્લાના જોડીયા, કાલાવડ અને જામજોધપુર તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદનું ટીપું પણ પડ્યું નથી (૦ મી.મી. વરસાદ). મોસમના કુલ વરસાદની વાત કરીએ તો કાલાવડના નિવાગામમાં અત્યાર સુધીમાં ૧૬૫ મી.મી. અને જામજોધપુરના વાંસજાળીયામાં ૧૬૪ મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ છેલ્લા ૨૪ કલાકથી અહીં પણ સંપૂર્ણ ઉઘાડ જોવા મળ્યો છે. વરસાદનું જોર ઘટતા હવે સ્થાનિક લોકો અને ખેડૂતો આગામી દિવસોમાં ફરી સારા વરસાદની આશા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here