જામનગર અપડેટ્સ: જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગની ટોળકીના ૧૧ સાગરીતોવિરૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓને ઝડપીલેવાયા હતા. જ્યારે ચાર આરોપીઓ હાલ જેલમાં છે, તથા એક આરોપી પકડવાનો બાકી હતો, જે આરોપીને એલસીબીની ટુકડી એ ઝડપી લીધો છે, અને રાજકોટની સ્પેશિયલ અદાલતસમક્ષ રજૂ કર્યા પછી તેને પણ પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયો છે.

જામનગર જીલ્લામા એજાજ ઉમર સાયચા તથા રજાક નુરમામદ સાયચા એ તેઓનાસાગરીતો સાથે મળીને સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી ખુન,ખુનનીકોશિષ,અપહરણ ખંડણી,બળજબરીથી કઢાવી લેવુ,આર્મ્સ એકટ, ફાયરીંગ, ગેરકાયદેસરવ્યાજ વટાવ,જાનથી મારી નાખવાની ધમકી, રાયોટીંગ, જમીનનો ગેરકાયદેસર કબજોકરવા,આપધાતની દુષ્પ્રેરણાં, જાહેરનામા ભંગ, પ્રોહીબીશન, જુગારધારા, હથિયાર બંધીજાહેરનામા, મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાનીટોળકીની ગુનાહિત પ્રવ્રુતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજદીન સુધીમાં સાયચા ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ–૭૪ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંનોંધાયા છે.અને હાલમા પણ તેઓની ગુનાહિત ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ છે
જેથી વી.બી.ચૌધરી (પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી જામનગર) એ આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ – ગુજસીટોક હેઠળ જામનગરસીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવ્યો હતો.
આ ગુના માં ૬ આરોપીઓ ગુલામ જુસબભાઇ સાયચા, મહેબુબ જુસબભાઇ સાયચા , અસગર જુસબભાઇ સાયચા, હનીફ નુરમામદભાઇ સાયચા, ઇમ્તીયાઝ નુરમામદભાઇ સાયચા , અને રજાક દાઉદભાઇ ચાવડા ઉર્ફે રજાક સોપારી નેઝડપી લેવાયા હતા અને રિમાન્ડ પર લેવાયા છે,

જે ગેંગનો સાગરીત અને ફરારી આરોપી એજાજ ઉંમર સાયચા કે જેને રવિવારે એલ.સી.બી.ની ટુકડીએ ઝડપી લીધો હતો, અને તેને સોમવારે રાજકોટની સ્પેશિયલ અદાલતસમક્ષ રજૂ કર્યા પછી તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે. જેની પણ પૂછપરછ ચલાવાઇરહી છે.
જ્યારે બસીર જૂસબભાઈ સાયચા (જેલમા) , સિંકદર નુરમામદભાઇ સાયચા (જેલમા) , ઇમરાન નુરમામદભાઇ સાયચા (જેલમા) , રજાક નુરમામદભાઇ સાયચા (જેલમા) હાલ જેલમાં છે. તેઓનો જેલમાંથી કબજો લેવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે.





