જામનગર અપડેટ્સ: જામનગરના ખોજાવાડ વિસ્તારમાં કોર્ટમાં સોગંદનામું રજૂ ન કરવાબાબતે એક વકીલ સાથે બોલાચાલી કરી, તેમને પકડી રાખી લાકડાના ધોકા વડે આડેધડ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ખોજાવાડ ખોજા ક્લબની સામે રહેતા અને વકીલાતનો ધંધો કરતા ૪૭વર્ષીય યાકુબભાઇ યુસુફભાઇ જુમાણી ગત તા. ૨૨/૦૪/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૮:૦૦વાગ્યાની આસપાસ પોતાના ઘરની બહાર મોટરસાયકલ પાર્ક કરી રહ્યા હતા. તે સમયે ત્યાંઉભેલા આરોપી મુસ્તાક સુલેમાન મૈણે વકીલ યાકુબભાઇને કહ્યું હતું કે, *”તમે કોર્ટમાંસોગંદનામું રજૂ કરતા નહીં.”* આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીદરમિયાન આરોપી મુસ્તાક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.
લાકડાના ધોકા વડે હુમલો અને ધમકી
આ દરમિયાન અન્ય આરોપી રોશનબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે વકીલયાકુબભાઇને પકડી રાખ્યા હતા. ત્યારબાદ આરોપી મુસ્તાકે લાકડાના ધોકા વડે વકીલનાવાસાના ભાગે ફટકો મારી દીધો હતો. બંને આરોપીઓએ ભેગા મળીને વકીલને શરીરે આડેધડમૂંઢ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
હુમલો કર્યા બાદ આરોપી મુસ્તાકે જતાં–જતાં વકીલને ધમકી આપતા કહ્યું હતું કે, *”જો કોર્ટમાંસોગંદનામું રજૂ કર્યું તો તમને અહીં રહેવા નહીં દઉં અને જાનથી મારી નાખીશ.”* આમ, આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાનેમદદગારી કરીને ગુનો આચર્યો હતો.

સિટી એ ડિવિઝન પોલીસ કાર્યવાહી
આ બનાવ અંગે ભોગ બનનાર વકીલ યાકુબભાઇ જુમાણીએ જામનગર સીટી એ ડિવિઝનપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ:
૧. મુસ્તાક સુલેમાન મૈણ
૨. રોશનબેન (યુસુફભાઇ જુમાણીના દીકરી)
(બંને રહે. ખોજાવાડ, ખોજા ક્લબની પાસે, જામનગર) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ ૧૧ canvas(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સીટી એ ડિવિઝનપોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જી.વી. ચાવડા ચલાવી રહ્યા છે.





