જામનગર: “યુવા ટાઉનહોલ” કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

0
346

જામનગર અપડેટ્સ: હરિયા સ્કુલમાં યુવા ટાઉનહોલ કાર્યક્રમ યોજાયો, જેમાં બહોળી સંખ્યા માં યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. માનનીય નરેન્દ્રભાઈ મોદીની અને માનનીય ભુપેન્દ્ર ભાઈ પટેલ ની સરકાર થી પ્રભાવીત થઈ દેશ માં સુશાશન લાવવા, ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા પક્ષ માં જોડાયા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ: યુવાનોના પ્રશ્નો અને તેમના સૂચનો સીધા નેતાઓ સુધી પહોંચાડવા.

યોજનાઓની જાણકારી: કેન્દ્ર અને રાજ્ય સરકારની યુવા લક્ષી યોજનાઓ (જેમ કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મુદ્રા યોજના) વિશે માર્ગદર્શન. નવા મતદારોનું સ્વાગત: પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને લોકશાહીની પ્રક્રિયા સમજાવવી.ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના નેતૃત્વ માં યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોશી ની દીર્ઘ દ્રષ્ટિ હેઠળ, શહેર અધ્યક્ષ શ્રી બીનાબેન કોઠારીજી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય વક્તા તરીકે રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યુવાનો ના સપના સાથે ભવિષ્ય ના શહેર ના સર્વાંગીય વિકાસ ના દિશા દર્શન માટે યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા યુવા ટાઉનહોલ કાર્યક્રમ યોજાયો જેમાં શહેર મા વિવિધ ક્ષેત્ર જેવા કે રમત ગમત યુવા ઉદ્યોગ સાહસીક યુવા નેતા સામાજીક સંસ્થા NGO ના યુવા આગેવાનો જોડાયા હતા જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સુખદેવભાઈ દેલવાણીયા પ્રદેશ યુવા મોરચા ના મંત્રી શ્રી કુલદીપસિંહ જાડેજા યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી સહદેવભાઈ ડાભી મહામંત્રી શ્રી દુષ્યન્તભાઈ સોલંકી તથા યુવા મોરચા ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં શહેર ના 380 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here