
જામનગર અપડેટ્સ: જામનગરમાં ઇન્દિરા સોસાયટીમાં રહેતા એક આધેડ નીપજાવવામાં આવી છે. છ માસ પૂર્વે છૂટાછેડા થયા બાદ મૃતકની પત્ની જેની સાથે મિત્ર ભાવે રહેતી હતી તે શખ્સ અને તેના મળતીયાએ રાત્રે મૃતકના ઘરે આવી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી કરી દીધો હોવાનું સામે આવ્યું છે. મૃતકને ત્યાં ભાડુત તરીકે રહેતા વચ્ચે પડેલા એક શખ્સને પણ બીજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. મૃતકનો વાંક એટલો જ કે તેણે છૂટાછેડા લીધેલ પત્નીને ફોન કર્યો હતો જેને લઇ ઉશ્કેરાઈ ગયેલા શકશે તેના મિત્ર સાથે મળીને આધેડને મોતને ઘાટ ઉતારી દીધો છે.

જામનગરમાં નવાગામ ખેડ વિસ્તારમાં ઇન્દિરા સોસાયટી શેરી નંબર સાત બી માં રહેતા મિલન હેમંતભાઈ પરમાર નામના સાધનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેમના ઘરેથી જ મળી આવ્યો હતો જેને લઇને તેના ભાણેજ એ સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં જાણ કરી હતી હાથ પગ માથા અને ગુપ્ત ભાગે બીજા પહોંચેલ મૃતક નું કોઈએ મર્ડર કર્યું હોવાની આશંકા સાથે પોલીસે મૃતકનો કબજો સંભાળી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન મૃતકના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ભાણેજ યસ હસમુખભાઈ ગોહિલ એ પોલીસમાં નિવેદન આપ્યું હતું અને પોતાના મામાની હત્યા થઈ હોવાનું આરોપ લગાવ્યું હતું. પોલીસ ગત્તરમાં યસ ગોહિલ એ નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતક મિલન પરમાર સિક્યુરિટી માં નોકરી કરતા હતા અને પોતાનું ગુજરાત ચલાવવા માટે તેઓએ નારણભાઈ અને અશોકભાઈ ને ભાડું તરીકે પણ રાખ્યા હતા રવિવારે રાત્રે એક દોઢ વાગ્યાના દરમિયાન મધુરમ સોસાયટીમાં રહેતા મયુર ગોહિલ અને સંજય નામના શખ્સ મિલનભાઈના ઘરે આવ્યા હતા.

દરમિયાન બંને સખ્સએ વાણી વિલાસ આચરી, ઉસ્કેરાઈ જઈ મિલન ભાઈને હાથ,પગ અને ગુપ્તાંગના ભાગે સખત માર્યો હતો. કેમ તું મારી ઘરવાળી દક્ષા ને ફોન કરે છે એમ કહી આરોપી મયુર અને સંજયે ઝાપટો મારી પડખામાં તથા ગુપ્ત ભાગે જોર જોરથી લાતો મારી હતી દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા ભાડુત અશોકભાઈ ને પણ આ બંને સક્ષોએ ધક્કો મારીને પાડી દીધા હતા. દરમિયાન ડરી ગયેલા બંને ભાડું તો રૂમના એક ખૂણામાં ઊભા રહી ગયા હતા ત્યારબાદ બંને શખ્સોએ ઘરમાં પડેલ લોખંડની કોષ અને દાતરડા વડે મિલનને બંને પગે અને મોઢાના ભાગે જોર જોર થી ઘા મારી તથા ગુપ્ત ભાગે પાટા માર્યા હતા.

દરમિયાન મયુર કોસ વડે મિલનને પગમાં માર મારતો હતો ત્યારે અશોકભાઈ બચાવવા વચ્ચે પડ્યા હતા. જેથી સંજય એ તેના હાથમાં રહેલ કોષ થી અશોકભાઈ ને મોઢાના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી હતી.સખત માર થી મિલનભાઈ ઘરમાં જ ઢસડી પડ્યા હતા અને બેસુદ થઈ ગયા હતા. દરમિયાન બંને શખ્સો મોટરસાયકલ પર નાસી ગયા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોતાની પત્ની દક્ષા સાથે મૃતક મિલનભાઈ ને અવારનવાર બોલાચાલી અને માથાકૂટ થતો હોવાથી છ માસ પૂર્વે જ તેઓએ દક્ષાબેનને છૂટાછેડા આપી દીધા છે છૂટાછેડા આપ્યા બાદ દક્ષાબેન તેના મિત્ર મધુરમ સોસાયટીમાં રહેતા મયુર સાથે રહેવા ચાલી ગઈ હતી દરમ્યાન મિલનભાઈએ દક્ષાબેનને ફોન કરતા ઉશ્કેરાયેલા મયુરે તેના મિત્ર સંજય સાથે મળીને મિલનભાઈ ને સખત માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને શખ્સોને ફરાર જાહેર કરી હત્યા સંબંધિત ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.