જામનગરમાં પોલીસે વ્યાજખોરો સામેની ઝુંબેશ અવિરત રાખી વધુ છ ફરિયાદો દાખલ કરી છે. તેમાં જામનગર શહેરમાં બર્ધન ચોક વિસ્તારમાં પથારા કરી વ્યવસાય કરતા શખ્સને અન્ય એક સક્સે ૨૦ ટકા લેખે 20 હજારની વ્યાજે આપેલ મૂડી બાદ તોતિંગ વ્યાજ અને મુદ્દલ વસૂલી કરી લેવા છતા આરોપીએ ધમકી આપી હોવાની અને આ ધમકીથી ડરી ગયેલ 24 વર્ષીય યુવાને ફિનાઈલ પી લેતા દોડધામ મચી ગઇ છે. પોલીસે આરોપી સામે ફરિયાદ પોલીસ દાખલ કરી છે.

જામનગર શહેરમાં પટણીવાડ વિસ્તારમાં પટણી જમાતખાના પાસે ઈબ્રાહીમભાઇના મકાનમાં ભાડેથી રહેતા અને બર્ધન ચોક વિસ્તારમાં પથારો કરી ગરમ કપડા વેચતા સમીરભાઈ સકીલભાઈ ચૌહાણ નામના 24 વર્ષે યુવાને પોતાની ધંધાની જરૂરિયાત માટે પોતાની બાજુમાં જ પથારો કરી કપડાં વેચતા શાહરુખ ફારુકભાઈ ખતાઈ નામના શખ્સ પાસેથી ₹20,000ની મૂડી 20 ટકા લેખે વ્યાજે લીધી હતી. રૂપિયા 4000 કાપી લઈ ₹16,000 આપી ફારુકે દર મહિને 4000 લેખે ₹12,000 વ્યાજ વસૂલ કર્યું હતું. ત્યારબાદ સમીરની સ્થિતિ સારી ન રહેતા વ્યાજ અને મુદ્દલ ચૂકવવામાં નિષ્ફળ ગયો હતો. જેને લઇને આરોપી શાહરૂખે વધુ વ્યાજ અને મુદ્દલ સહિત રૂપિયા 25,000 ઉપરાંત ની રકમ વસૂલવા માટે સતત ધાક ધમકીઓ શરૂ કરી હતી જેને લઈને ગઇ કાલે તા.16 મીના રોજ સાંજના સાડા નવ એક વાગ્યે કાલાવડ નાકા બહાર સમીર પોતાની જાતે ફીનાઇલથી પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને સમીરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેને આરોપી શાહરૂખ ખતાઈ સામે મનીલોન્ડરિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.