જામનગર: પાટીદાર આંદોલન વખતે પટેલ સમાજના યુવાનો સામે થયેલ કેશ પાછા ખેચી લેવામાં આવ્યા બાદ ઉજવણીના ભાગ રૂપે ધ્રોલ ખાતે એકત્ર થયેલ પટેલ સમાજના અગ્રણીઓની હાજરીમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય કથીરીયાએ સમાજને કડવા ઘૂંટડા પીવડાવ્યા હતા. જામનગર જિલ્લા ભાજપાના મહામંત્રી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં સમાજને થયેલ અન્યાયને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ વિડીયો જોર શોરથી વાયરલ થઇ રહ્યો છે.

પાટીદારની એકતા, અખંડતા અને અનામત આંદોલન વખતે પાટીદાર દીકરાઓ પર થયેલ અન્યાય બાદ નિર્દોષ છૂટવા બાબતે તાજેતરમાં ધ્રોલ ખાતે અંગ્રણી પાટીદારોની બેઠક મળી હતી. આ બેઠકમાં એકતા બાબતે વાત કરતા રાજકોટના પાટીદાર સમાજના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ધારદાર અને સ્પષ્ટ વક્તવ્ય આપી હાજર પટેલ સમાજના ભાજપા અંગ્રાણીઓના કપડા કાઢી લેતું ભાષણ આપ્યું હતું. જિલ્લા ભાજપા સંગઠનના મહા મંત્રી દિલીપભાઈ ભોજાણી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાની હાજરીમાં પૂર્વ ધારાસભ્યએ ધારદાર વક્તવ્ય આપતા પટેલ સમાજના યુવાનોએ તાળીઓનો ગળગળાટ કર્યો હતો અને લલિત કગથરાને વધાવી લીધા હતા.

સમાજના યુવાનો વ્યાજના વિશચક્રમાં ફસાવાથી લઇ દીકરીઓની રક્ષાને લઈને પૂર્વ ધારાસભ્યએ જોરદાર વક્તવ્ય આપ્યું હતું. પોતાની આગવી શૈલીમાં પૂર્વ ધારાસભ્ય કગથરાએ સમાજ વિષે, સમાજના યુવાનો વિષે, તાજેતરમાં સમાજની દીકરીના કાઢવામાં આવેલ સરઘસ અંગે, મોરબીના મનોજ પનારા વિષે અને ભાજપા અંગે શું કહ્યું હતું જે અક્ષરશહ નીચે મુજબ છે.

“આ છોકરાઓ ત્રાસવાદી હતા ? ચોરી કરવા ગયા હતા. ? તો શેના કેશ ભાઈ ? આજે શેનો આનંદ ઉજવીએ છીએ ? દીકરાઓને લાગતું હતું કે અમને અનામત કેમ નહી ? એટલા માટે આંદોલન હતું, એ આંદોલનમાં જે કેશ ઠોકી બેસાડ્યા હતા એમાં આપને આજે નિર્દોષ છૂટ્યા છીએ એનો આજે આપને આનંદ મનાવી રહ્યા છીએ, જે લોકોએ છોકરાઓને નિર્દોષ છોડાવ્યા તેઓનો આભાર માનું છું, હમણાં વાત થઇ હિંદુ સમાજની, બીજા સમાજથી દીકરીયુંનું રક્ષણ કરવાની, અરે આપણી દીકરીયુંના સરઘસ નીકળે અને આપને ગામની દીકરીયુંની રાહ જોવાની ?? સવાલ ત્યાં છે !!!! આંખુ ખોલો આખુ !!! સમાજ સંગઠિત થશે તો સો ટકા ગમે તે જીતશે, અને કોઈના બાપની સરમ વગર કેવાની ત્રેવળ હોવી જોઈએ કે મારો સમાજ વ્યાજવટાથી ત્રાહિમામ પોકારી ગયો છે, એની સામે. હું ધન્યવાદ આપીશ મનોજ પનારાને, કે મોરબીમાંથી કદાચ ૫૦ કરોડ રૂપિયા બચાવ્યા હશે, ભલે ઉઘાડ પગો રહ્યો, આવા યુવાનની જરૂર છે…કોઈ મરદના દીકરાએ કહ્યું કે જયેશ પટેલનો શું વાંક છે ?? શેના માટે કેશ કરો છો ? આ કેવાની ત્રેવડ હોય તો સમાજની વાત કરવી, નહિતર ભાજપ કોંગ્રેસ કરવું, સાચી વાત કવાની ટેવ રાખવી, તો જ સમાજને ભેગા કરાય, ત્યારે જ સમાજની વાત કરાય એવું હું સ્પષ્ટ માનું છું, સૌનો હૃદય પૂર્વકનો આભાર..”.