જામનગર નજીક દરેડ ગામે એક યુવાને ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. નસો કરવાની ટેવ વાળા યુવાનને તેના મોટાભાઈએ નશો કરવાની ના પાડતા યુવાનને લાગી આવ્યું હતું અને ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર પંથકમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, શહેર નજીક લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે રાંદલ માતાના મંદિર પાસે રહેતા જલારામભાઇ તુલશીભાઇ કાપડી ઉવ ૪૦ વાળાએ પોતાના ઘરે પોતાના રૂમમાં મકાનની આડીમાં, સાડી જેવુ કંઇક કાપડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દીપકભાઈએ જાણ કરતા પંચકોશી બી ડીવીજન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી મૃતદેહને જીજી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈએ નિવેદન નોંધાવ્યું હતું. જેમાં મૃતક નાનો ભાઈ નશો કરવાની ટેવ ધરાવતો હતો. નશો કરવાની ના પાડતા તે રિસાઈ ગયો હતો અને રૂમમાં જઈ ગળાફાસો ખાઈ લીધો હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.