જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં એક યુવતીના એરેન્જ મેરેજ થયા, લગ્નગાળાના શરૂઆતમાં દાંપત્યજીવનમાં પ્રેમનો દરિયો ઉમટયો પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પતિ-પત્ની વચ્ચે અંતર વધતું ગયું એક દિવસ એવો આવ્યો જ્યાં પત્ની પોતાની બાજુમાં રહેતા અન્ય યુવક સાથે ઘર છોડી ચાલી ગઈ એ પણ માસુમ પુત્રને સાથે લઈને, ઘરેથી ગુમ થયેલ પત્ની પોતાના માસુમ પુત્ર સાથે પાડોશી યુવક સાથે ભાગી ગઈ હોવાની પતીએ આશંકા દર્શાવી છે.

સમાજ જીવનમાં પ્રેમ કેટલો છીછરો થઇ ગયો છે એનું તાઝું ઉદાહરણ કાલાવડ પંથકમાંથી સામે આવ્યુ છે. જેમાં ગત તા. ૨૭/૫/૨૦૨૧ના રોજ તાલુકાના છતર ગામેથી રંજનબેન ઘનશ્યામભાઈ પંચાલ ઉવ ૨૭ અને તેના પુત્ર સુમિત ઉવ ૫ એમ બંને કાલાવડ ખાતે કપડા લેવા જાવ છું કહી નીકળી ગઈ હતી. તેમના પતિ સહિતનાઓએ સગાસબંધીઓ અને આડોસ પડોસમાં તપાસ કરાવતા માતા-પુત્રના સગડ સાંપડ્યા ન હતા. પરંતુ એક વાત ધ્યાને આવી હતી કે આ યુવતીની બાજુમાં રહેતો ભરત ગોવિંદ પંચાલ પણ તા. ૨૭મીથી જ ઘરેથી ગુમ છે અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. જેને લઈને રંજનબેનના પતીએ નોંધાવેલ ગુમ નોંધમાં શંકા દર્શાવી છે કે પોતાની પત્ની અને આ સખ્સ સાથે જ ચાલ્યા ગયા હશે.
સાડા ચાર ફૂટ ઉંચાઈ ધરાવતી રંજનબેન શ્યામ વર્ણ ધરાવે છે. જયારે તેણીએ પોતાના ડાબા હાથની કલાઈ પર ‘ઘનશ્યામ’ ત્રોફાવેલ છે. પતીએ જ દર્શાવેલ શંકા જો સાચી હોય તો તેણીએ પોતાના પતીને ખાલી હાથની કલાઈ પુરતો જ સીમિત રાખ્યો એમ કહી શકાય પણ દિલમાં સ્થાન ન આપ્યું, પોલીસે ગુમ નોંધના આધારે જે યુવાન પર શંકા છે તેની અને ગુમ મહિલા અને તેના પુત્રના સગડ મેળવવા પ્રયાસ શરુ કર્યા છે.





