જામનગર : પત્નીને છૂટાછેડા આપવા હતા પરંતુ કોર્ટ બંધ..પછી યુવાને ભર્યું એવું પગલું કે…

0
749

જામનગર : જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને કોર્ટ બંધ હોવાથી રીસામણે બેઠેલ પત્ની સાથે છુટાછેડા થઇ શકે એમ ન હોવાથી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે.

જામનગરમાં હનુમાનટેકરી દલિતનગર શેરી નં.૩માં રહેતા વિજય કારુંભાઈ સોંદરવા ઉવ ૨૭ નામના યુવાને ગઈ કાલે રાત્રે પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની  જાણ થતા સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ રાજેશભાઇ કારૂભાઇ સોંદરવાએ નિવેદન આપ્યું હતું. મૃતક તેના દાદી સાથે ત્રણ વર્ષથી રહેતો હતો. ચાર વર્ષ પૂર્વે તેના લગ્ન થયા હતા પરંતુ એક વર્ષ બાદ પત્ની સાથે વિખવાદ થતા પત્ની ત્રણેક વર્ષથી રીસામણે ચાલી ગઈ હતી અને હાલ કોર્ટ બંધ હોય છુટા છેડા થઇ શકતા ન હોય જેની ચીંતામા કંટાળી ભાઈએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here