
જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ વ્હીલર માટેની જૂનીસીરીઝના બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન, આમ બંને પ્રકારના નંબરોના ઈ–ઓકસનમાં ભાગ લઈશકશે.

જામનગર આરટીઓની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળોતા.૧૦–૦૩–૨૦૨૫ થી તા.૧૨–૦૩–૨૦૨૫ બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે.ઈ–ઓકશનનો બિડિંગકરવાનો સમયગાળો તા.૧૨–૦૩–૨૦૨૫ થી ૧૪–૦૩–૨૦૨૫ બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજઈ–ઓકશનનું પરિણામ તા.૧૪–૦૩–૨૦૨૫ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.ઉક્તપ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પરજઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ–ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ–ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ–ઈન કરીને વાહન ખરીદીનાદિવસ–૦૭ ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્યપસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈનરસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. ઈ–ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિકવાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.પસંદગીના નંબર મેળવેલાઅરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયેપસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.