જામનગર : “રાધે ક્રિષ્ના’ બોટનું રજીસ્ટ્રેશન રદ કરાયું, કારણ દેશની સુરક્ષાનો છે સવાલ

0
1160

જામનગર : અરબી સમુદ્રમાં માછીમારી કરતી ભારતીય માછીમારી  બોટને પાક મરીન એજન્સી ઉઠાવી ગયા બાદ મત્સ્યોદ્યોગ તંત્રએ જે તે બોટનું રજીસ્ટ્રેશન અને માછીમારી પરવાનો રદ કર્યો છે.

મર્ચન્ટ શિપિંગ એકટની એકટની કલમ ૪૩૫ (પી) ધ્યાને લઇ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા પકડાયેલ અને પાકિસ્તાનના જુદા જુદા બંદરોએ રાખવામાં આવેલ બોટો પૈકીની ઓખા ખાતે રજિસ્ટર્ડ રજીસ્ટ્રેશન નંબર  IND-GJ-10-MM-3197(NEW VRC NO. IND-GJ-37-MM-1955) શ્રી બોલીમ દાઉદ હારુન, સુરજકારાડી, દ્વારકાની બોટ ‘રાધે ક્રિષ્ના’નું રજીસ્ટ્રેશન તથા ફીશીંગ લાયસન્સ આધાર-૩ રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર રદ કરવામાં આવે છે, તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here