જામનગરમાં મુકેશ રાઠોડ નામના યુવાને ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ખાનગી કંપનીની જગ્યામાં ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પત્નીની અલગ થવાની જીદ અને ભરણ પોષણની માંગણીને લઈને અકળાઈ ગયેલ એક પુત્રીના પિતા એવા યુવાને અંતિમ પગલું ભરી ફાની દુનિયાને અલવિદા કહી છે.
એ યુવાને આઠ પેજની સુસાઈડ નોટ લખી છે. જે એટલી હૃદય દ્રાવક છે કે વાંચીને તેના દુખ પણ ખરેખર દુખ થશે જ. પોતાની પત્નીને કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું છે મૃતક મુકેશભાઈએ, પોલીસે સુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં યુવાને તેની વેદના ઠાલવી છે. જે અક્ષરસહ નીચે મુજબ છે.








