ચૂંટણી : ૨૧મીએ મહાનગરપાલિકા, ૨૮મીએ જીલ્લા-તાલુકા અને નગરપાલિકાઓનું મતદાન

0
728

જામનગર : આખરે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. આજે રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે અને આજ થી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા અને જીલ્લા-તાલુકા પંચાયત સહીત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ૬ મહાનગરપાલિકા અને જુનાગઢ મહાનગર પાલિકાની બે બેઠકની ચૂંટણી તા. ૨૧મીના યોજાશે. જયારે ૮૧  નગરપાલિકા અને ૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની સામાન્ય મતદાન પ્રક્રિયા આગામી તા. ૨૮/૨/૨૦૨૧ના રોજ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમ નીચે તસ્વીરમાં વિસ્તારથી આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here