દ્વારકા: બસ ચાલતી હતી, શિક્ષક મોબાઈલમાં વાત કરતા હતા અને અચાનક કાળ ત્રાટક્યો  

0
870

દ્વારકા નજીક ખોડીયાર મંદિર ચેકપોસ્ટ પાસે ચાલુ બસમાંથી ફોન પર વાત કરતા કરતા નીચે પડી ગયેલા ભાવનગર જિલ્લાના સિહોર ના શિક્ષકોનું ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ છે મૃતક શિક્ષક તેની શાળાના શૈક્ષણિક પ્રવાસ લઈ દ્વારકા દર્શન આવ્યા બાદ જુનાગઢ જવા નીકળ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા નજીક તારીખ 11 મીના રોજ બપોરે 2:00 વાગ્યાના સોમવારે ખોડીયાર મંદિર ચેકપોટ પાસેથી પસાર થતી એક શૈક્ષણિક પ્રવાસની બસમાંથી નીચે પડી ગયેલા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયારી ગામે રહેતા શિક્ષક હર્ષદભાઈ રમેશભાઈ જાની ઉંમર ૩૫ને ગંભીર ઇજાઓ પહોંચી હતી દરમિયાન તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યા સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બના અંગે અન્ય શિક્ષક કરસનભાઈ ગૌરી શંકરભાઈ જાળેલાએ દ્વારકા પોલીસને જાણ કરી હતી. મૃતક શિક્ષક પોતાની શાળાનો શૈક્ષણિક પ્રવાસ લઈ દ્વારકા આવ્યા હતા દ્વારકા દર્શન કરી તેઓ પરત જૂનાગઢ જવા માટે નીકળ્યા હતા તે વખતે દ્વારકા હાઇવે ઉપર પહોંચ્યા ત્યારે ચાલુ બસમાં હર્ષદભાઈ ને મોબાઈલ ફોન પર કોલ આવ્યો હતો તે પોતાની સીટ પરથી ઉભા થઈ ફોનમાં વાત કરતા કરતા બસના દરવાજા પાસે ગયા હતા ત્યાં ઉભા ઉભા ફોનમાં વાત કરતા હતા ત્યારે અચાનક તેઓ બસના દરવાજા પાસેથી નીચે રોડ પર પડી ગયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના પગલે શૈક્ષણિક પ્રવાસમાં રહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here