દ્વારકા : જો જો પ્રસંગમાં માણસો ભેગા ન કરતા, આ સખ્સ સામે કરવામાં આવી કાર્યવાહી

0
802

જામનગર :  હાલમા કોરોના વાયરસથી કોવિડ ૧૯ની વૈશ્વીક મહામારી સામે રાજ્ય લડી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ આ  કોરોનાએ માજા મૂકી છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માર્ગદર્શન સિદ્ધાતોની અમલવારી વચ્ચે પણ અનેક નાગરીકો બેદરકારી દાખવી રહ્યા છે.

જાહેરનામાં મુજબ, દેવભુમી દ્વારકાનાઓ દ્વારા બહાર પાડવામા આવેલ જાહેરનામાથી લગ્ન પ્રસંગે મહતમ ૨૦૦ સુધી તથા સ્થળની ક્ષમતા કરતાં ૫૦ ટકા સુધીના માણસોની હાજરી સીમીત રાખવા ફરમાન કરવામાં આવ્યું હતું. આ નિયમ હોવા છતાં દ્વારકામાં હબીબભાઇ હુશેનભાઇ શેખએ પોતાને ત્યાં ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું. પોતાને ત્યાં યોજાયેલ લગ્ન પ્રસંગે આ સખ્સે બહોળી સંખ્યામાં લોકો એકઠા કરી પોતે એવુ જાણવા છતા જીંદગી ને જોખમકારક ચેપ ફેલાવવાનો સંભવ હોય અને જેથી એમ થવાને સંભવ હોવાનુ પોતે જાણતા અથવા એમ પોતાને માનવાને કારણ હોય એવુ ક્રુત્ય બેદરકારી દાખવી હતી. આ પ્રસંગની જાણ થતા દ્વારકા પોલીસે આ સખ્સ સામે જાહેરનામાં ભંગ સબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here