બેટ દ્વારકા: મેગા ડીમોલેશનના ત્રણ દિવસ, જાણો કેટલા અને ક્યા ક્યા બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર?

0
1102

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીનો ધમધમાટ અવિરત રાખવામાં આવ્યો છે. આજે ચોથા દિવસે ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવા રેંજ આઈજી પોતાની ટીમ સાથે બેટ દ્વારકાની મુલાકાત કરશે. છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો લગભગ 2 લાખ ફૂટ જેટલી જગ્યાનું સાડા ચાર કરોડ રૂપિયાની કિંમતનું બાંધકામ-જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી છે. જેમાં 25 થી વધુ ધાર્મિક સ્થળો અને 30 થી કોમર્શિયલ બાંધકામોનો સમાવેશ થાય છે.

દેશ અને રાજ્યના પશ્ચિમ કિનારે આવેલ ઓખા મંડળના અતિ સંવેદનશીલ બેઠ દ્વારકા માં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મે ગાડી ની શરૂઆત કરવામાં આવી છે. બેટ દ્વારકામાં ગૌચર અને ગામ તળની મોટાભાગની જમીન પર પેસકદમી બાદ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ અતિ મહત્વના આ બેટ દ્વારકામાં આ બાંધકામો જોખમી રૂપ બને અને સામાજિક પ્રવૃત્તિઓનું ઘર બને તે પૂર્વે તંત્ર દ્વારા મેગા ડીમોલીસન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રથમ અહીં વહીવટી તંત્રની ટીમ દ્વારા મહેસુલી તલાટીઓ અને કામે લગાડી સુવ્યવસ્થિત સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના રિપોર્ટ બાદ વહીવટી પ્રશાસન પોલીસને સાથે રાખીને ચાર દિવસ પૂર્વે ડિમોલ્યુશન ની પ્રક્રિયા હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા મામલતદાર વી.આર વરુ સહિતના અધિકારીઓની જુદી જુદી ટીમો દ્વારા પાડતોડ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં તંત્ર દ્વારા બે લાખ ફૂટ જેટલી જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું છે અને સાડા ચાર કરોડથી વધુ કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસમાં 25 ઉપરાંત ધાર્મિક સ્થળો અને 50 થી વધુ કોમર્શિયલ અને અન્ય સ્થળો નું દબાણ તોડી પાડવામાં આવ્યું છે જેમાં ડ્રગ પેડલર રમજાન હાજી ગની પલાણી તથા કુખ્યાત પંજરીવાળા બંધુના બંગલાઓનક આજુબાજુ ખડકી દેવાયેલ અનધિકૃત બાંધકામોનો પણ સમાવેશ થાય છે. 

આશરે 3:30 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા બેટ દ્વારકામાં છેલ્લા અઢી દાયકામાં ગૌચર ગામ તળ અને મરીન વિસ્તારની જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો તથા ધાર્મિક સ્થળો નું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આ જ સ્થળો દેશદ્રોહી પ્રવૃત્તિનું ઘર બને તે પૂર્વે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર્વે કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે એમ તંત્ર દ્વારા હુંકાર ભણવામાં આવ્યો છે.

આજે ચોથા દિવસે આ કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે રાજકોટ આઈજી બેટ દ્વારકાની મુલાકાતે આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here