જામનગર: વિધવા સહાયના નામે નોકરિયાત સાથે લાખોની ઠગાઈ

0
1

જામનગર: વિધવા સહાયની રકમ મેળવવા માટે નાણાંની જરૂર હોવાનું કહી વિશ્વાસમાં લઈ એક વ્યક્તિ પાસેથી તબક્કાવાર રૂ. 17.13 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી પરત ન આપવાના આક્ષેપ સાથે જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ મથકે એક મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, ઓમપ્રકાશ રાજારામભાઈ ચૌધરી (ઉ.વ. 41), રહેવાસી ગુલાબનગર, રાજપાર્ક-1, જામનગર અને ખાનગી નોકરી કરતા ફરિયાદીએ પોલીસમાં અરજી નોંધાવી છે.રિયાદમાં જણાવ્યા મુજબ, નીતાબેન રસિકલાલ ખારેચા, રહેવાસી આદર્શ સોસાયટી, ખોડિયાર કોલોની, જામનગરએ ફરિયાદીને જણાવ્યું હતું કે વિધવા સહાય મેળવવા માટે તેમને નાણાંની તાત્કાલિક જરૂર છે. આ વાત પર વિશ્વાસ મૂકીને ફરિયાદીએ આરોપી દ્વારા આપવામાં આવેલા જુદા જુદા QR કોડ અને UPI ID મારફતે અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. 17,13,979 ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદ મુજબ, રકમ ટ્રાન્સફર કર્યા બાદ ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા હતા, પરંતુ આરોપીએ રકમ પરત આપી ન હતી. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.આ મામલે જામનગર શહેર સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ આરોપી મહિલા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 316(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે સમગ્ર નાણાકીય વ્યવહારો, બેંક ટ્રાન્ઝેક્શન, QR કોડ અને UPI મારફતે થયેલા ટ્રાન્સફરની વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન સામે આવતી હકીકતોના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here