જામનગર: હૃદયદ્રાવક ઘટના, બાઇક ન આપતા ૧૬ વર્ષના તરુણે જીવન ટૂંકાવ્યું

0
27

જામનગર અપડેટ્સ: બાઇક ચલાવવા ન આપવા જેવી નાનકડી જીદમાં એક ૧૬ વર્ષના તરુણે મોતને વ્હાલું કરી લીધું છે. આ હૃદયદ્રાવક ઘટના શુક્રવારે સવારે જામનગર-ખંભાળિયા હાઈવે પર બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમાજ માટે લાલ બતી ધરતો આ બનાવ વિલો અને સંતાનો વચ્ચે હકારાત્મ વાતાવરણ ઉભું થાય એવો માહોલ બનાવવા સૂચન કરી રહ્યો છે. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

પિતાએ બાઇક ન આપી, દીકરાએ ગળાફાંસો ખાધો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સણદા ગામના વતની અને હાલ જામનગરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સામે મણીભદ્ર વીલામાં મજૂરી કામ કરતા પ્રતાપભાઈ બામણીયાના ૧૬ વર્ષીય દીકરા રાકેશે ગળાફાંસો ખાઈ લીધો હતો. રાકેશ છેલ્લા થોડા દિવસોથી બાઇક ચલાવવા માટે જીદ કરતો હતો, પરંતુ તેના પિતાએ ઉંમર નાની હોવાના કારણે તેને બાઇક આપવાની ના પાડી હતી. આ વાતનું મનમાં લાગી આવતા રાકેશે આ આત્યંતિક પગલું ભર્યું હતું.

હવે સપનાનું ઘર દૂર નથી…
Pratham Residency – Jamnagar માં 2 & 3 BHK Flats અને Shops, Free Furniture (Limited Time), Kids Play Area | 24/7 Security | Garden | Senior Citizen Zone, Booking માટે આજેજ કૉલ કરો: 89052 12121,  Digjam Circle, Jamnagar

સિક્કા પોલીસ દ્વારા તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ સિક્કા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સી.ડી. ગાંભવા અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડ્યો છે. پولیسે પ્રાથમિક તપસમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે. માતા-પિતાએ પોતાના બાળકોની નાનકડી માગણીઓ પર પણ ધ્યાન આપવું જોઈએ અને તેમની સાથે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ.

વાલીઓ હમેશા બાળકો સાથે વાતચીત કરે
જીવનમાં કોઈપણ સમસ્યા હોય, તેનો ઉકેલ વાતચીત દ્વારા લાવી શકાય છે. બાળકોમાં ઘણી વખત નાનકડી બાબતો પણ મોટી બની જાય છે અને તે આત્યંતિક પગલાં ભરવા માટે પ્રેરાઈ શકે છે. માતા-પિતાએ બાળકો સાથે મિત્રતાપૂર્ણ વર્તન રાખવું જોઈએ અને તેમની સમસ્યાઓ સાંભળીને તેને ઉકેલવા પ્રયાસ કરવો જોઈએ. બાળકોને સમજાવવું જોઈએ કે જીવનમાં દરેક વસ્તુ તરત જ મળી જતી નથી અને તેની પાછળ કારણ હોય છે. આ રીતે બાળકોને આત્મવિશ્વાસ વધારવામાં અને ખોટા નિર્ણયોથી બચાવવામાં મદદ મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here