જામનગર: જામનગરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર એવા સલીમ દુરાનીનું ૮૬ વર્ષની ઉમરે જન્નત નસીન થયા છે. તેઓ ઘણા લાંબા સમયથી નાંદુરસ્ત હતા. આજે સવારે તેઓએ અંતિમ શ્વાસ ભર્યા, અફઘાનિસ્તાનમાં જન્મેલ દુરાનીએ ૭૦ના દાયકામાં ભારત તરફથી એક દાયકા ઉપરાંત રાષ્ટ્રીય –આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. ભારતના પ્રથમ એવા ક્રિકેટર બન્યા કે જેઓ પ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો, આંતરરાષ્ટ્રીય વનડે અને ટેસ્ટ મેચમાં તેઓ ઓલરાઉંડર તરીકે રમ્યા હતા. તેઓના નિધનથી જામનગર સહીત દેશભરમાં શોક છવાયો છે.

વર્ષ ૧૯૩૪, ૧૧ ડીસેમ્બરના રોજ અફઘાનીસ્તાનના કાબુલમાં સલીમ દુરાણીનો જન્મ થયો હતો. દુરાનીએ વર્ષ ૧૯૬૦માં ભારત તરફથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી, તેઓએ ૨૯ ટેસ્ટ મેચ રમ્યા હતા. વર્ષ ૧૯૬૧-૬૨માં ભારતમાં રમાયેલ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તેઓ હીરો રહ્યા હતા. કોલકતા અને ચેન્નાઈ ખાતે રમાયેલ મેચમાં તેઓએ અનુક્રમે આઠ અને દસ વિકેટ ઝડપી મેન ઓફ ધ સીરીજ બન્યા હતા. તેઓ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા હતા. તેઓએ ૨૯ ટેસ્ટ મેચમાં ૨૫ ઉપરાંતની સરેરાસથી ૧૨૦૨ રન બનાવ્યા છે અને ૭૪ વિકેટ પણ ઝડપી છે. તેઓએ કેરિયરમાં એક વખત ૧૦ વિકેટ અને ત્રણ વખત પાંચ વિકેટ ઝડપી છે. દુરાની તોફાની બેટિંગ કરવા જાણીતા હતા. સ્ટેડીયમમાં જે દિશામાંથી અવાજ આવતો ‘વી વોન્ટ સિક્સર’ તે દિશામાં સિક્સર મારી પ્રેક્ષકોના દિલ જીત્યા હતા. તેઓ સિક્સરના બાદશાહ તરીકે જાણીતા હતા. ૧૯૭૩માં તેઓને ટેસ્ટ સીરીજમાં ડ્રોપ કરવામાં આવતા ક્રિકેટ ચાહકોમાં વિરોધ ઉઠ્યો હતો ઠેર ઠેર હોર્ડિંગ લાગ્યા હતા કે નો દુરાની નો ટેસ્ટ, આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેઓએ હિન્દી ફિલ્મમાં પણ જંપલાવ્યું હતું. સલીમ દુરાની એક એવા ક્રિકેટર છે જેઓને પ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો છે. ક્રિકેટ છોડ્યા બાદ તેઓ જામનગરમાં જ રહ્યા હતા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. આજે સવારે તેઓના નિધનથી દેશભરમાં શોક છવાયો છે.

સદગત હાલ જામનગર ખાતેના મોરકંડા રોડ પર આવેલા ગરીબ નવાજ સોસાયટી ખાતે તેઓના નિવાસ્થાને રાખવામાં આવ્યો છે આજે સાંજે 5:00 વાગ્યે અસરની નમાજ બાદ તેઓની અંતિમયાત્રા ઘરેથી નીકળશે