કિરીટ જોશી હત્યા પ્રકરણ -૮ : રવિવારે જ પકડાઈ ચુક્યા છે આરોપીઓ, હાલ પાંચ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ

0
1001

જામનગર : જામનગર પોલીસે કોલકતાથી  ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા બાદ સ્થાનિક કોર્ટ કાર્યવાહી કરી ત્રણેયના પાંચ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી જામનગર રવાના થયા હતા. જામનગર પોલીસે રવિવારે જ કોલકાતા પહોચી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. કોલકતામાં જ ત્રણેય આરોપીઓને રજુ કરી પાંચ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સંભવત: આવતી  કાલે આરોપીઓને જામનગર કોર્ટમા રજુ કરવામાં આવશે.

જામનગરમાં થયેલ વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણ સંદર્ભે જામનગર પોલીસે એક વર્ષ સુધી તપાસ ચલાવ્યા બાદ ન જયેશ પટેલ હાથ લાગ્યો  કે ન ભાડુતી હત્યારાઓ, જેને લઈને રાજ્ય સરકારે આ પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. જેમાં પણ કોઈ પરિણામ મળ્યું ન હતું. ત્યારબાદ રાજ્યના પોલીસ વડાએ આ પ્રકરણની તપાસ ફરી  જામનગર પોલીસને સોંપી હતી. જામનગર એલસીબીના પીએસઆઈ કે કે ગોહિલ સહિતનાઓએ તાત્કાલિક તપાસ સંભાળી લીધી હતી દરમિયાન જામનગર પોલીસને કોલકતાના ઈનપુટ મળ્યા જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોલકતાના ચોક્કસ વિસ્તારમાં જામનગર પોલીસે મુસ્લિમ પરિધાન ધારણ કરી આરોપીને ગત તા.૧૪/૩/૨૦૨૧નાં રોજ દબોચી લીધા હતા. પીએસઆઈ કેકે ગોહિલએ તાત્કાલિક ત્રણેય આરોપીઓને કોલકતા કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ જામનગર પોલીસ ત્રણેય આરોપીઓને લઈને જામનગર આવવા રવાના થઇ હતી. જામનગર આવી પહોચેલ એલસીબીની ટીમ આવતીકાલે આરોપીઓને જામનગર કોર્ટમાં રજુ કરી વિધિવત રિમાન્ડની માગની કરશે. આ ત્રણેય આરોપીઓને રિમાન્ડ દરમિયાન વધુ સ્ફોટક વિગતો સામે આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

NO COMMENTS