ખંભાળીયા: કરોડોની ડીઝલ ચોરીનો ભાંડાફોડ, ટેન્કર ડ્રાઈવર ગેંગ ઝડપાઈ

0
320

ફાર્મહાઉસ પાસે ગેરકાયદેસર ડીઝલ સ્ટોરેજ – પાંચ આરોપી ઝડપાયા, એક ફરાર, પેટ્રોલપંપ સુધી પૂરતું ડીઝલ નહીં પહોંચાડીને કર્યો વિશ્વાસઘાત

જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને ડીઝલ ચોરી અને ગેરકાયદેસર વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ટેન્કર ડ્રાઈવરો અને માલિકોની સાંઠગાંઠથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ IOC જેવી મોટી કંપની અને પેટ્રોલપંપ માલિકોને સીધી અસર પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. તા. ૦૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે લગભગ ૬:૪૦ વાગ્યે ખંભાળીયાથી આશરે ૧૧ કિ.મી દૂર દાતા ગામની સીમમાં, જામનગર રોડ પર દીપકભાઈ ચાવડાના ફાર્મહાઉસની બાજુમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

શું છે આખી સ્કીમ? કઈ રીતે આચરવામાં આવ્યું રેકેટ

આરોપીઓ ટેન્કર ટ્રક મારફતે IOC કંપનીનું ડીઝલ સપ્લાય કરતા
પેટ્રોલપંપ સુધી પૂરતો જથ્થો પહોંચાડતા નહીં
વચ્ચે જ ડીઝલ ચોરી કરીને ગેરકાયદેસર વેચાણ કરતા
કોઈ લાયસન્સ વગર ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો

ખંભાલીયા એસઓજી પોલીસ દફતરની કાર્યવાહી
૫ આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા
૧ મુખ્ય આરોપી હજુ ફરાર
પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજાની ફરીયાદ પરથી ગુનો નોંધાયો
ખંભાળીયા પોલીસ અને SOG દ્વારા સંયુક્ત ઓપરેશન

કોણ છે આરોપીઓ
મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા (મુખ્ય સૂત્રધાર)
હરદેવસિંહ ચુડાસમા
વિજયસિંહ ચુડાસમા
રાજદિપસિંહ ચુડાસમા
ધર્મરાજસિંહ જાડેજા
ફરાર: રૂષીરાજસિંહ જાડેજા (ટેન્કર માલિક)

IOC કંપની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો

પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩: કલમ ૩૦૩(૨), ૩૧૬(૩), ૩૧૮(૨), ૬૧(૨), ૨૮૭, ૫૪ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ-૧૯૫૫: કલમ ૩ અને ૭ મુજબ ફરિયાદ નોંધી છે. આ રેકેટથી પેટ્રોલપંપ માલિકોને આર્થિક નુકસાન પહોચાડાયું છે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. જયારે અનધિકૃત રીતે ગેરકાયદેસર ડીઝલ વેચાણથી બજારમાં અસંતુલન પણ ઉભુ થવાનો પુરતો ખતરો રહે છે. અને ગંભીર બાબત એ છ કે સુરક્ષા વિના ડીઝલ સ્ટોરેજથી મોટી દુર્ઘટનાનો ખતરો હમેશા તોળાતો રહે છે

ફાસ્ટ ફેક્ટ્સ (ઝટપટ માહિતી)

બનાવ તારીખ: ૦૫/૦૪/૨૦૨૬
સ્થળ: દાતા ગામ સીમ, ખંભાળીયા
ઝડપાયેલા: ૫
ફરાર: ૧
ગુનો: ડીઝલ ચોરી અને ગેરકાયદેસર વેચાણ

જીલ્લામાંથી હજુ મોટું રેકેટ બહાર આવશે ?

ગેરકાયદેસર નફાની લાલચ માત્ર કાયદાનો ભંગ નથી કરતી, પરંતુ લોકોની સલામતી અને દેશની આર્થિક વ્યવસ્થાને પણ ખતરામાં મૂકે છે. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી અને જનજાગૃતિ બંને જરૂરી છે.ખંભાળીયાની આ કાર્યવાહી બતાવે છે કે પોલીસ તંત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતર્ક છે. હવે આગળની તપાસમાં કેટલો મોટો રેકેટ બહાર આવે છે તે જોવાનું રહ્યું. એક વાત ચોક્કસ છે – લાલચનો રસ્તો અંતે કાયદાની પકડ સુધી જ લઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here