જામનગર: જામનગરમાં પંચવટી વિસ્તારમાં એકલી રહેતી અપરણિત યુવતીએ પોતાના ઘરે ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. યુવતીએ આપઘાત કરતા પૂર્વે લખેલ સુસાઈડ નોટમાં ત્રણ સખ્સોને જવાબદાર ઠેરવ્યા છે. ખોટી રીતે નામ બદનામ કરતા સખ્સોના ત્રાસથી કંટાળી યુવતીએ અંતિમ પગલું ભરી લેતા પોલીસે ત્રણેય સખ્સો સામે તેણીને મરવા મજબુર કરવા સબબ ફરિયાદ નોંધી છે.

જામનગરમાં પંચવટી વિસ્તારમાં રહેતી નુરજહાંબેન ઈબ્રાહીમભાઈ નામની યુવતીએ તાજેતરમાં પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીવતર ટૂંકાવતા પૂર્વે તેણીએ અંગ્રેજીમાં એક સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઈડ નોટ તેણીના ભાઈ ઇસાકભાઈએ સીટી બી ડીવીજન પોલીસને આપી હતી. જેમાં પોતાની બહેનને અફરોજ તૈયબ ચમડિયા, અખ્તર ચમડિયા અને રજાક સાયચા નામના સખ્સો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ત્રણેય સખ્સો જ મૃત્યુ પાછળ જવાબદાર છે એમ તેણીએ સ્પષ્ટ કર્યું છે. આ ત્રણેય સખ્સો કોઈ પણ કારણ વગર ખોટી રીતે તેણીનું નામ ખરાબ કરતા હતા. આ ખોટી બદનામીથી તેણીના લગ્ન થશે નહી અને આગળ પણ જીવવા દેશે નહી, એમ વિચારી તેણીએ ત્રણેય સખ્સોના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ ત્રણેય સખ્સો સામે પોલીસે તેણીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.