જામનગર: ઘાસચારો વેચતા બે શખ્સોએ JMC કર્મચારી પાછળ પાવડો લઈને દોટ મુકતાં દોડધામ

0
512

જામનગર અપડેટ્સ: જામનગરમાં ઘાસચારો વેચનારાઓ સામે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કેટલ પોલિસી મામલે કડક હાથે અને જપ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.દરમિયાન આજે સવારે રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલ પાસે જાહેરમાં ઘાસચારો વેચનારા બે શખ્સોએ હંગામો મચાવ્યો હતો, અને મહાનગરપાલિકા ની ફરજ પર ની ટીમ ને મારવા માટે પાવડા સાથે દોટ લગાવતાં ભારે દોડધામ થઈ હતી, અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

મહાનગરપાલિકાના એસ.એસ.આઈ. દીપકભાઈ પરમાર આજે સવારે રણજીતસાગર રોડ પર ઘાસચારો જાહેરમાં વેચનારાઓ સામે જપ્તીકરણ ની કાર્યવાહી કરવા માટે ગયા હતા, જે દરમિયાન ઘાસના બે વિક્રેતાઓ ઉશ્કેરાયા હતા , અને પાવડો લઈને ફરજ પરના કર્મચારી પાછળ દોડતા ભારે નાસભાગ થઈ હતી.આ હંગામા સમયે રણજીતસાગર રોડ પર નો ટ્રાફિક ઝામ થયો હતો, અને આખરે પોલીસ તંત્રએ દોડવું પડ્યું હતું.

મહાનગરપાલિકાના કર્મચારી ઉપર હુમલા ના પ્રયાસ અને અપશબ્દો ની રમઝટના મામલે આસી. કમિશનર મુકેશ વરણવા તથા જોનલ ઉર્વશીબેન ઘટના સ્થળે પહોંચ્યા હતા, આખરે આ મામલાને પોલીસમાં લઈ જવાયો છે, અને એસ.એ સ.આઈ દ્વારા પોતાના પર હુમલા નો પ્રયાસ અને ફરજમા રુંકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here