ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક અને અનેકવિધ બાબતે દેશભરમાંથી અનેક વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે ત્યારે જામનગરના ગાગીયા (આહીર) પરિવારે હરિદ્વારમાં એક વર્લ્ડ રેકોર્ડ કીર્તિમાન કર્યો છે. હાલ ગાગીયા પરિવાર દ્વારા ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં એક સાથે 700 પરિવારના સદસ્યોએ પિતૃ તર્પણ કરી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. આ કાર્યને લઈને ભારતની જ પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ બદલ ગાગીયા પરિવારજનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.

હરિદ્વાર મુકામે માં ગંગાના ચરણોમાં તા 26 માર્ચ થી 01 એપ્રિલ 2023 સુધી પિતૃ મોક્ષ અર્થે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયેલ, જેમાં તા:૨૭/૦૩/૨૦૨૩ ના રોજ અગ્રણી બિલ્ડર તથા ગાગીયા સન્સનાં ચેરમેન શ્રી ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ) તથા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રાજુભાઈ ગારીયા તથા રાજકીય આગેવાન શ્રી કે. બી. ગાગીયા અને દેવાયતભાઈ ગાગીયા તથા ગાગીયા પરિવારના ૭૦૦ સભ્યો દ્વારા એકી સાથે પિતૃ તર્પણમાં જોડાયા તથા લોક કલ્યાણ અર્થે પિતૃઓને મુક્તિ અપાવવાનું પુણ્ય કાર્ય કર્યું છે.

આ ગર્વની બાબત છે કે, હરિદ્વાર મુકામે અત્યાર સુધી પ્રથમ વખત એક જ પરિવારના ૭૦૦ સભ્યો દ્વારા આ કાર્ય બ્રાહ્મણો દ્વારા પિતૃ તર્પણ વિધિ પૂર્ણ કરવામાં આવી. જે બાબત ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધવામાં આવેલ છે. શ્રીમદ ભાગવત કથાનું રસપાન શાસ્ત્રી શ્રી ના મુખેથી youtube લાઈવ પ્રસારણ A krishna studio દ્વારા થઈ રહ્યું છે.