જામનગર: ગેરકાયદે ઉભી કરાયેલ મજારમાં શંકાસ્પદ પ્રવૃતિઓ?  કેમ? શું જોવા મળ્યું ?

૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા, ધાર્મિક સ્થળમાં કોઈ રકમ સ્વીકારવાની મનાઈ છતાં લકઝરીયસ સુવિધા ઉભી કરવા નું ફંડ ક્યાંથી આવ્યું ?

0
2698

જામનગર અપડેટ્સ: જામનગરના બચુ નગર વિસ્તારમાં ધાર્મિક સ્થળનું પણ બિનઅધિકૃત બાંધકામ જોવા મળ્યું હતું, અને અંદાજે ૧૧,૦૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં ધાર્મિક સ્થળનું બાંધકામ કરવામાં આવ્યું છે, જે ની અંદર એસ.પી. પ્રેમસુખ ડેલુ અને તેઓની ટીમ નિરીક્ષણ કરવા માટે ગઈ હતી, ત્યારે અંદર લક્ઝરીયસ સુવિધાઓ વગેરે નિહાળીને પોલીસ તંત્ર પણ અચંબીત બન્યું હતું, ઉપરાંત આ સ્થળે કોઈપણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવતા નથી, તેવી લેખિત જાહેરાત કરાયેલી છે. તેમ છતાં આટલા મોટા લક્ઝરીયસ બાંધકામ માટે ફંડ ક્યાંથી આવ્યું ?

જામનગરના બચુ નગર વિસ્તારમાં ‘યા મિસ્કીને નવાજ’ નામની મજાર શરીફ આવેલી છે, જે અંદાજે ૧૧,૦૦૦ ચોરસ ફુટ જેટલી સરકારી જગ્યામાં ધાર્મિક સ્થળ નું બાંધકામ કરાયેલુ છે. આ મજાર શરીફ માં કોઈ પણ પ્રકારના પેટી પટારા રાખવામાં આવ્યા નથી, તેમજ અહીં પૈસા રાખવાની મનાઈ છે. અને આ શહેનશાહના દરબારમાં માત્ર ભીખ માંગવા આવે છે, પરંતુ ભીખ દેવા નહીં, જેવા સૂત્રો લખીને કોઈપણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવતા ન હતા. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને અન્ય પોલીસ ટુકડીએ નિરીક્ષણ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે આ બધું સામે આવ્યું છે. આ લખાણ શંકાસ્પદ જણાઈ આવ્યા છે. મજારની વૈભવી સુવિધાઓ સામે ફંડિંગ ક્યાથી થયું ? આવી વૈભવી મજાર ક્યાંથી કોના ખર્ચે ઉભી થઇ ?

જે દરમિયાન મજાર શરીફમાં અનેક લકઝરીયસ સુવિધા જોવા મળી હતી. ઉપરાંત કલરફુલ અને આકર્ષક ટાઇલ્સ અને માર્બલ જડેલા સંખ્યાબંધ રૂમ આવેલા હતા. જયારે મજારમાં અલગથી સ્પેશિયલ રૂમ બનાવેલો હતો, જેમાં અત્યાધુનિક સ્વિમિંગ બાથ ટબ પણ બનાવેલો જોવા મળ્યો હતો,  જે બાથ ટબ વાળા રૂમના દરવાજા પર અલગથી નોટિસ લગાવેલી હતી, અને કોઈપણ પ્રકારના બહારની વ્યક્તિને તેમાં પ્રવેશ અપાતો ન હતો, ઉપરાંત વિશેષ સૂચના પણ લખવામાં આવી હતી, કે આ રૂમ ની અંદર રજા સિવાય કોઈપણ વ્યક્તિએ આવવાની સખત મનાઈ છે.

ઉપરાંત એક સૂત્ર એવું પણ લખેલું હતું, કે “યાદ હૈ તો આબાદ હૈ, ભૂલ ગયે તો બરબાદ હૈ” જેનો અર્થ શું કાઢવો ? આવા ભડકાઉ સૂત્ર ઉપરાંત આ સ્થળે કોઈપણ પ્રકારની રકમ સ્વીકારવામાં આવતી નથી એવું પણ લખાણ જોવા મળ્યું છે, જેને લઈને અનેક પ્રશ્નો સામે આવ્યા છે. આટલો મોટો ખર્ચો કરીને આ મજાર શરીફ કઈ રીતે ઊભી થઈ ? અને તેની પાછળ કોનું ફંડિંગ છે?  તે પણ તપાસનો વિષય બન્યો છે?  અને હાલમાં મજારના મૂંઝાવર લાપતા બન્યા હોવાથી પોલીસ તંત્ર તેઓને શોધી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here