જામનગરમાં અંધાશ્રમ નજીક આવેલ આવાસ અનેક વખત અનૈતિક પ્રવૃત્તિઓનું ધામ હોવાનું સામે આવી ચુક્યું છે. વધુ એક વખત આ આવાસ બદનામ થયું છે. આ વખતે અનૈતિક ધામમાં બદનામી થઇ છે. અહી રહેતા એક સખ્સ દ્વારા બહારના રાજ્યમાંથી યુવતીઓને બોલાવી, આશરો આપી વાસનાનો વેપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફૂટણખાના સંચાલક મહિલા અને ગ્રાહક સહિતના ત્રણ સખ્સોની સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે.

દારૂ, જુગાર, મારામારી સહિતની અનેક અસામાજિક પ્રવૃતિઓ માટે ભૂતકાળમાં બદનામ થયું છે, ત્યરે વધુ એક વખત બદનામી સામે આવી છે, આ વખતે દેહ વ્યાપારના નામે સામે આવી છે બદનામી, અહી રહેતી નીતાબેન મહેન્દ્રભાઇ ઉર્ફે દલુ માવજીભાઇ વાળા નામની મહિલા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમા બહારના રાજયમાંથી મહિલાઓ બોલાવી, પોતાના મકાનમા રાખી, શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપી, વેશ્યામગીરીનો ધંધો કરાવી, સ્ત્રી સાથે બહારથી પુરૂષ ગ્રાહકોને બોલાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી કુટણખાનુ ચલાવતી હોવાની હકીકત પોલીસના ધ્યાને આવી હતી. જેને લઈને વેશ્યાયગીરીનો ધંધા પર પોલીસે ગઈ કાલે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન સંચાલક મહિલા ઉપરાંત સલીમભાઇ ઇકબાલભાઇ મનસુરી પીંજારા અને નીખીલ જયદેવન ઓટા કુઝહીયલ ઉવ.૨૧ ધંધો પ્રા.નોકરી રહે. હાલ મોટીખાવડી તા.જી.જામનગર મુળ- મલાઇન્કીડુ, કોઠામંગલમ શહેર, જી.અર્નાકુલમ કેરલ વાળા બે સખ્સો પણ આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે મજબૂરીથી લઇ આવવામાં આવેલ યુવતીઓને મુક્ત કરાવી, સંચાલિકા મહિલા સહિતના ત્રણેય સખ્સોની સામે ફરિયાદ નોંધી હતી. આ ફૂટણખાના પરથી પોલીસે ૧૭૦૦ રૂપિયાની રોકડ, બે મોબાઈલ ફોન, કોન્ડમ સહીત રૂપિયા ૧૬૭૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.