દિવાળીમાં હોળી : ૧૩ જગ્યાએ આગ લાગી, ફાયરની કાબેલદાદ કામગીરી

0
1509

દિવાળી આનંદ, ઉમંગ અને રંગોનું પર્વ, પણ આ પર્વ ત્યારે જ પૂર્ણ બને જયારે ફટાકડાની આતશબાજી થાય, એમાય  દિવાળીની રાત્રે તો દર વર્ષે છેક મોડી રાત સુધી ધૂમ-ધડાકા થતા રહે છે. આ આતાશબાજી ક્યારેક આફતમાં ફરી વળે છે, આતાસબાજીમાંથી વછુટેલ ચિનગારી ક્યારેક આગનું રૂપ ધારણ કરી લ્યે છે. જેને કારણે નાના-મોટી દુર્ઘટના ઘટતી હોય છે. આવું જ ચિત્ર ગઈ કાલે દિવાળીની સાંજથી સામે આવ્યું હતું. જો કે જામનગર મહાનગરપાલિકાના ફાયર તંત્રએ પ્રથમથી તૈયારી કરી લીધી હતી. જેના પરિણામે શહેરમાં જુદી જુદી જગ્યાએ લાગેલી ૧૩ જગ્યાની આગ વિકરાળ બને તે પૂર્વે ઠારી દેવામાં આવી હતી.

જામનગરમાં દિવાળીની રાત્રે છેક વહેલી સવાર સુધી આતાશબાજી થઇ હતી. કોરોનાકાળના બે વર્ષ બાદ કહી શકાય એવી દિવાળી આવી છે. શહેરના મધ્ય વિસ્તારથી માંડી છેક ભાગોળના વિસ્તારોમાં મોડે સુધી આતશબાજી થઈ હતી. લોકોએ મનમૂકીને ફટાકડા ફોડી પર્વને મનાવ્યું હતું. આ આતશબાજીમાં સાંજથી સવાર સુધીમાં આગની તેર ઘટનાઓ ઘટી હતી. જેમાં સાંજે ૬:૪૦ વાગ્યે પવનચક્કી વિસ્તારમાં અવધ નમકીનના ગોડાઉનમાં પ્રથમ બનાવ બન્યો હતો. જ્યાં ત્રણ ફાયર ટેન્ડરનું વોટર ફાયરીંગ કરાયું હતું.

જયારે દરબાર ગઢ પોલીસ ચોકી પાસે ૭:૧૫ વાગ્યે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જ્યાં એક ગાડીનું પાણીનું ફાયરીંગ કરાયું હતું. ત્રીજો બનાવ ગોવાળની મસ્જીદ પાસે બન્યો હતો. જેમાં રાત્રે આઠેક વાગ્યે કચરા પેટીમાં આગ લાગી હોવાના મેસેજને લઈને ફાયરે એક ગાડી પાણીનો મારો ચલાવ્યો હતો. જયારે ચોથો બનાવ સમર્પણ સર્કલ પાસે બે બનાવ બન્યા હતા. ખુલ્લા પ્લોટમાં રાત્રે ૮:૪૦ વાગ્યે અને ૧૦ વાગ્યે ગોકુલનગર તરફ જતા રોડ પર કચરાના ઢગલામાં આગ લાગતા ફાયરે એક-એક ગાડીનું ફાયરીંગ કરી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જયારે છઠ્ઠી ઘટના પ્રણામી સ્કુલ પાસે ખુલ્લા પ્લોટમાં ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી હોવાની ફાયરમાં નોંધ છે. જ્યાં ત્રણ ગાડીનું ફાયરિગ કરી આગ પર નિયંત્રણ મેળવાયું હતું.  

આ ઉપરાંત બે બનાવ ભીમવાસ પાસે બન્યા હતા. જેમાં વહેલી સવારે પાંચેક વાગ્યે અને ભંગાર અને ભંગારની બાઈકમાં આગ લાગતા ફાયરે એક-એક ગાડીનું ફાયરીંગ કરી આગ નિયંત્રિત કરી હતી. જયારે જડેશ્વર મહાદેવ  મંદિર પાસે ઝાડમાં આગલા ભાગે રાત્રે સાડા અગ્યારેક વાગ્યે આગ લાગતા એક ગાડીનું ફાયરીંગ કરાયું હતું. તેમજ રણજીતનગર વિસ્તારમાં એકતા ફરસાણની બાજુમાં ત્રીજા માળે બાલ્કનીની બારીમાં આગ લાગતા ફાયરે આગ બુજાવી હતી.

જયારે સજુબા સ્કુલ પાસે રાત્રે ૩:૪૦ મીનીટે એક ગોડાઉનમાં આગ લાગી હતી. જયારે બારમી ઘટના રામેશ્વરનગર વિસ્તારમાં ઘટી હતી જેમાં કેપી શાહની વાડીમાં બંધ મકાનમાં આગ લગતા ફાયરે એક ગાડીનો પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત બપોરે અગ્યાર વાગ્યા સુધીમાં અંતિમ ઘટના તીનબતી વિસ્તારમાં બની હતી જ્યાં કચરાના ઢગલામાં છમકલું હતા ફાયરે આગ પર નીયંત્રણ મેળવ્યું હતું.

NO COMMENTS