આખું ગામ મહેમાનનોના સ્વાગત માટે ઉમટી પડ્યું: કાઠીયાવાડ સૌરાષ્ટ્રની ગ્રામ્ય સંસ્કૃતિ નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરતા તમિલ બાંધવો: કાનગોપીનો રાસ નિહાળતા સૌરાષ્ટ્ર તમિલ વાસીઓ
આ અમારી માતૃભૂમિ છે અને અહીંના લોકોનો એવો પ્રેમ ભાવ મળ્યો છે કે અમને તમિલનાડુ જવાનું મન થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલું ચરણ ગંગાધામ થી ઓળખાતા ટુંપણી ગામમાં તમિલનાડુના મદુરાઈના મહિલા અગ્રણી એ.આર. મહાલક્ષ્મીજીને બળદગાડામાં બેસાડી સામૈયુ કરી અન્ય તમિલનાડુના મહેમાનોને પણ દાંડીયારાસ – સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેઓ આ શબ્દો બોલ્યા હતા.

દ્વારકાના મહેમાન બનેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમના 300 મહિમાનોએ આજે દ્વારકા નજીક ટુપ્પણી ગામની મહેમાનગતિ માણી હતી. પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરા અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોળ ની ઉપસ્થિતિમાં ટુંપણી ગામના ગ્રામજનોએ પરંપરાગત વેશમાં ગામડાની સૌરાષ્ટ્ર કાઠીયાવાડની મહેમાનગતિ સાથે સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

ગામના યુવાનોએ લોકવાદ્ય શરણાઈ અને ઢોલ સાથે ડાંડિયારાસ રમી બેનોએ સામૈયા કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગ્રામજનો દ્વારા કાનગોપી નો રાસ રાખવામાં આવ્યો હતો.
આ તકે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ વડાપ્રધાન મોદીની પ્રેરણા થી સૌરાષ્ટ્ર તમિલ સંગમ નો કાર્યક્રમ યોજાયો છે. મહેમાનો સૌરાષ્ટ્રની ગુજરાતની યાત્રાએ આવ્યા છે અને તેઓના પૂર્વજો સૌરાષ્ટ્રના હતાં તે અંગેની વાત કરી ટુંપણી ગામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે તે અંગેની જાણકારી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત ગામના સરપંચ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
