દ્વારકા: શિક્ષક બની જતા પતીનું વર્તન બદલાયું, આખરે પત્નીએ…

0
1338

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડી ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા એક યુવાન અને તેના પરિવારજનોએ પરિણીતા પર ત્રાસ ગુજારતા તેણીએ આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. સરકારી નોકરી મળી જતા શિક્ષક પતિને પત્નીથી અણગમો થયો હતો અને ત્રાસ ગુજાર્યો હતો. પતીને અન્ય સાસરિયા સભ્યોએ સાથે આપ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં આરોપ લગાવાયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડી ખાતે રહેતી અસમીતાબેન મનસુખભાઈ ચૌહાણ નામની પરિણીતાએ ગલાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ તેણીના માતા શારદાબેન ધીરૂભાઇ પોપટભાઇ તાવીયા રહે. સનાળીગામ નવાપરા વિસ્તાર તા. વિંછીયા જિ.રાજકોટ વાળાએ પોતાની પુત્રીને મરવા મજબુર કરી હોવાની સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોતાના જમાઈ મનસુખભાઇ ઓધવજીભાઇ ચૌહાણ રહે.સુરજકરાડી સદગુરૂ મેડીકલની પાછળ તા.દ્રારકા મુળ- લાઠીદડ ગામ તા.જી.બોટાદ, સાસુ સવિતાબેન ઓધવજીભાઇ ચૌહાણ અને શોભાબેન રસીકભાઇ રહે.વીંછીયા તા.વીછીયા જી.રાજકોટ વાળાઓએ તેણીને શારીરિક માનસિક ત્રાસ આપતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનો આરોપ લગાવ્યો છે.

પતિને સરકારી શિક્ષકમાં નોકરી લાગી ગયા બાદ ‘હવે ગમતી ન હોય હવે તુ ગમતી નથી તારાથી સારી છોકરી મળી જશે તુ તારા ઘરે જતી રહે કે મરી જા મારે તારી સાથે રહેવુ નથી તેમ કહી, તેની સાથે મારકુટ કરી અસહ્ય શારીરિક માનસિક દુખત્રાસ આપી તેમજ સાસુએ સામાન્ય બાબતોમાં મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપી તેમજ આરોપી નણંદએ જયારે ઘરે આવે ત્યારે જણાવતા હતા કે મારા ભાઇને સરકારી નોકરી લાગી ગઇ છે તુ તારા ઘરે જતી રહે તેમ કહી ત્રણેય જણાઓએ તેણીને માનસિક શારીરિક અસહ્ય દુ:ખ ત્રાસ આપતા તેણીએ ગળે ફાસો ખાઇ મરવા મજબુર કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here