દેવભૂમી દ્વારકા: શનિવારનો દિવસ ભારે, જુદા જુદા અકસ્માતમાં ત્રણના મોત

0
522

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈ કાલે જુદા જુદા ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમાં જામનગરથી હાથલા ખાતે દર્શન કરવા જતા પરિવારને નડેલા અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. જયારે ખંભાલીયા નજીક કુવાડિયા પાટિયા પાસે પાછળથી કારે ઠોકર મારતા યજમાનપદુ કરતા બારોટજી યુવાનનું મોત થયું છે અને શિવરાજપુર-દ્વારકા વચ્ચેના માર્ગ પર ઇકો કારે ઠોકર મારતા સરકારી કર્મચારી એવું દંપતી ખંડિત થયું છે. જેમાં પતિની નજર સામે પત્નીનું મૃત્યુ થયુ છે.

ભાણવડ તાલુકા મથકથી ૧૪ કિમી દુર વેરાડ ગામ થી જામનગર જતા હાઇવે ઉપર કોટન મીલ પાસે રોડપર ગઈ કાલે સવારે આઠેક વાગ્યે એક કાર એકાએક રોડ નીચે ઉતરી જતા વીજ પોલ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર જામનગરમાં સાધના કોલોનીમાં રહેતા ટીફીન સર્વિસ કરતા દીપેનભાઇ અમ્રુતલાલ ઢગાઇ ઉ.વ ૫૦, કાર ચાલક એવા તેમના ભાઈ નીલેશભાઇ અમ્રુતલાલ ઢગાઇ ઉ.વ.૩૬, દક્ષાબેન નલીનકુમાર આસર રહે બેગ્લોર , રાધીકાબેન  દીપેનભાઇ ઢગાઇ જાતે.ભાટીયા, પલકબેન દીપેનભાઇ ઢગાઇ, આદિત્યભાઇ દીપેનભાઇ ઢગાઇ, સ્મીતાબેન નલીનકુમાર આસર રહે બેગ્લોર વાળાઓને નાની મોટી ઈજાઓ પહોચતા ભાણવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માથામાં ગંભીર ઈજાઓ પહોચી હોવાથી સારવાર મળે તે પૂર્વે દક્ષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક માતા દક્ષાબેન અને તેની પુત્રી સ્મિતાબેન બેંગ્લોરથી જામનગર રહેતા ભોગગ્રસ્ત પિયર પરિવારને ત્યાં આંટો મારવા આવ્યા હતા. પરિવાર સાથે બધાય હાથલા ખાતે શનિદેવના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હોવાનું જાણવા મળ્યું છે.

જયારે દ્વારકા નજીક શીવરાજપુર ગામથી દ્વારકા બાજુ આવતા  રોડ પર ગઈ કાલે એક ટુ વીલરને પુર ઝડપે દોડતી ઇકો કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં પીજીવીસીએલમાં નોકરી કરતા ટુ વિલર ચાલક જયદીપકુમાર હાજાભાઇ ચેોહાણ જાતે.અનુ.જાતી ધંધો.પી.જી.વી.સી.એલ નોકરી રહે.સોલાજ ગામ તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ અને પાછળ બેઠેલ તેઓના જામનગર ખાતે એમએફડબ્લ્યુમાં નોકરી કરતા પત્ની તરુણાબેન ઉવ ૨૪ ફંગોળાઈ ગયા હતા. વીજ કર્મચારીની ટીવીએસ જ્યુપીટરને જોરદાર ઠોકર વાગતા તેઓને જમણા ખભામા મુંઢ ઇજા તથા તેમના પત્નીને પેટના તથા ગુપ્ત ભાગે ગંભીર પહોચી હતી. જેમાં તેઓના પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે નાશી ગયેલ કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ખંભાલીયા નજીક કુવાડીયા ગામના પાટિયા પાસે ગઈ કાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે હિરેન રસિકભાઈ ગોપાલભાઈ અંકલેશ્વર્યા બારોટ રહે -ઉપલેટા સ્વામિનારાયણ સોસાયટી ગાયત્રી નગર પાછળ ગણયાત્રી મંદિર પાસે તાલુકો-ઉપલેટા જીલ્લો-રાજકોટ વાળા યુવાનને પાછળથી પુર ઝડપે આવેલ જીજે 01-RF-74 84ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને વેફિકરાઇથી ગફલતભરી અને ચલાવી આવી હિરેનના મોટર સાયકલ નંબર જીજે 10-bf-2255ને પાછડથી ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં હિરેનને માથામા તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ થયું હતું. મૃતક યુવાન પોતાના ઉપલેટા ખાતેના નિવાસ્થાનેથી મોટરસાયકલ લઇ સવારે નીકળ્યો હતો અને બાલવા ગામે એક નામકરણનો પ્રસંગ પૂર્ણ કરી ભાટિયા ગામે જતો હતો ત્યારે અર્ધ રસ્તે અકસ્માતનો ભોગ બની ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here