દેવભૂમિ દ્વારકા: બેટ દેવસ્થાન સમિતિની અડધા કરોડની મિલકત પિતા પુત્રનો કબજો

0
2819

જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામનો જ્યારથી કાયાકલ્પ શરુ થયો છે ત્યારથી જમીન પચાવી પાડવા સબંધિત ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આવો જ એક કિસ્સો બેટ દ્વારકાથી સામે આવ્યો છે. જેમાં દેવ સ્થાન સમિતિની માલિકીની SINDHU BHAVAN જગ્યા પર પિતા પુત્રએ ત્રણ દાયકાથી કબજો જમાવી ખાલી નહી કરતા આખરે બંને સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. યાત્રાધામ સમિતિને બક્ષીસમાં મળેલ અડધા કરોડની જમીન પર પિતા પુત્રએ સમિતિના કોઈ પણ જવાબદાર વ્યક્તિને પ્રવેશ માટે મનાઈ કરવામાં આવતા આખરે સમિતિએ કાયદાનું સરણ લીધું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાની જે જગ્યા ભગવાન કૃષ્ણનું નિવાસ સ્થાન ગણવામાં આવે છે એ સ્થળો પર છેલ્લા સાત દાયકાઓમાં અનેક દબાણકારોએ દબાણો કરી જમીન પચાવી પાડી છે. હવે જયારે દેવ સ્થાનનો વિકાસ થયો છે અને આ ધાર્મિક સ્થળને ધાર્મિકની સાથે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકાર આગળ આવી છે ત્યારે અહી માથાભારે સખ્સો સરકારી અને માલિકીની જગ્યા પર પગ પેસરો કરતા નજરે પડી રહ્યા છે. આવો જ એક કિસ્સો ત્રણ દાયકા પૂર્વે રચાયો હતો. જેની વિગત મુજબ બેટ દ્વારકા દેવસ્થાન સમિતિને વર્ષ ૧૯૯૩માં શ્રી રામચંદ લક્ષ્મણદાસ જયસિંહએ પોતાની માલિકીની હાલના સીટી સર્વે નંબર ૧૨૧૦ અને ૧૧ વાળી ૩૬૫ ચોરસ મીટર જગ્યા બક્ષીસમાં આપી હતી. હાલ સિંધુ ભવન તરીકે ઓળખાતી આ જગ્યાની બજાર કિંમત અડધા કરોડ થવા જાય છે.

આ જમીન બક્ષીસ આપતા પૂર્વે અહી રહેતા લાલજી નારણભાઈ રખેવાળી કરતા હતા. તેઓના અવસાન બાદ આ જગ્યા કોઈને રખેવાળી કરવા આપવામાં આવી ન હતી. જો કે મૃતક લાલજીભાઈના આરંભડા ગામે રહેતા સાવકા ભાઈ (બંનેના માતા એક, પિતા આલગ અલગ) ચંદ્રકાંત ગોપાલદાસ ભાયાણી એ સિંધુ ભવન પર કબજો કરી લઇ તાળા મારી દીધા હતા. સમય જતા ચંદ્રકાંતભાઈના પુત્ર રામકૃષ્ણએ પણ કબજો બરકરાર રાખ્યો હતો. આ બંને પિતા પુત્રને દેવસ્થાન સમિતિ દ્વારા અનેક વખત જગ્યાનો કબજો ખાલી કરી દેવા કહેવામાં આવ્યું હતું. પરંતુ કોઈ પ્રત્યુતર નહિ મળતા આખરે ઇન્ચાર્જ વહીવટદાર દિનેશચંદ્ર ચુનીલાલ બદીયાનીએ એક વર્ષ પૂર્વે સ્થાનિક પોલીસમાં પિતા પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અરજી કરી હતી. જેને લઇ બેટ દ્વારકા પોલીસે ગઈ કાલે પિતા પુત્ર સામે આસરે ૫૦ લાખની બજાર કીમત ધરાવતી જગ્યા પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ પોલીસે આરોપી રામકૃષ્ણની અટકાયત કરી લીધી છે અને તેના પિતા સુધી પહોચવા તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here