જામનગર અપડેટ્સ : તૌક્તે વાવાઝોડાએ વરસાવેલ કહેર બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રભૈત વિસ્તારની હવાઈ મુલાકાતે આવ્યા છે. હેલીકોપ્ટરમાં લગભગ બે કલાકના નિરીક્ષણ બાદ અમદાવાદ ખાતે મુખ્ય મંત્રી સહિત સચિવો સાથે બેઠક યોજી હતી અને કુદરતી આપદા સામે થયેલ નુકસાનીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્રની એક ટુકડી પણ ગુજરાતમાં આવી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ તાગ મેળવશે.
સૌરાષ્ટ્ર અને ઉતરગુજરાતના સાગર કિનારા પર ફૂકાયેલ વાવાઝોડાએ વ્યાપક તારાજી સેવી છે. ૪૫ લોકોના મૃત્યુ નીપજયા છે જયારે અબજો રૂપિયાનું નુકસાન થયુ છે. જેને લઈને રાજય સરકારે પ્રજાની સાથે રહી સહાયની જાહેરાત કરી છે. વાવાઝોડામાં થયેલ નુકસાનીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને બપોરે બે કલાક સુધી હવાઈ નિરીક્ષણ કરી દીવ, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી સહિતના જીલ્લાઓમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદ ખાતે રાજ્યના મુખ્ય મંત્રી રૂપાણી અને ઉચ્ચ સચિવો સાથે મીટીંગ યોજી હતી.
આ મીટીંગ બાદ વડાપ્રધાને એક હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. સાથે સાથે કેન્દ્રની ટીમ મોકલી પ્રભાવિત વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. સહાયમાં માનવ મૃત્યુના કિસ્સામાં બે લાખ અને ઈજાગ્રસ્તને રૂપિયા ૫૦ હજારની સહાય આપવામાં આવશે. જયારે પશું પક્ષી મૃત્યુ અને સ્થાવર મિલકતને નુકસાની તેમજ ખેતીવાડી અને ઉદ્યોગને થયેલ નુકસાન પેટે પણ સહાય આપવામાં આવશે.