જામનગર : રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારની સાબિતી આપી રહ્યું છે રાજ્યનું એસીબી તંત્ર, દર બીજા-ત્રીજા દિવસે અધિકારી-પદાધિકારી સામે સફળ ટ્રેપ કરવામાં આવો રહી છે. ત્યારે આજે વધુ એક ટ્રેપ થઈ છે. જેમાં દાહોદ જિલ્લાના એક ગામના સરપંચે છ હજારની લાંચ માંગતા ટ્રેપમાં સપડાઈ ગયા છે.
દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ગામના ડુંગર ફળિયુંમાં રહેતા મહિલા સરપંચ પાસે આવેલ એક મહિલાએ પોતાના કામની વાત કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૦ માં દેવગઢ બારીયા તાલુકામાં આવેલ આંગણવાડીઓમાં સુપરવાઇઝરની જાહેરાત પડેલ, જેમાં તેણીએ સુપરવાઇઝરનુ ફોર્મ ભરેલ હતુ. જે સુપરવાઇઝરના ફોર્મ સાથે ગામના જુના સરપંચના ચાલચલગતના દાખલાની નકલ જોડેલ હતી. પરંતુ હાલના નવા સરપંચનો ચાલચાલગતનો દાખલો સુરપરવાઇઝરના ફોર્મમાં જોડવાનો હોય, જેથી આ કામના મહિલાના પતિએ દશેક દિવસ પહેલા નવા સરપંચને રૂબરૂમાં મળેલ અને ચાલચલગતના દાખલો આપવા તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગે કાર્યવાહી કરી આપવા પણ વાત કરી હતી. જેને લઈને આરોપી સરપંછે કહેલ કે ‘’રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ માં પસંદ પામેલ અગ્રતા ધરાવતા કુંટંબોની યાદીમાં સમાવેશ કરવા માટેનો દાખલો “ અંગેનુ ફોર્મ આપી સોગંદનામુ કરીને ફોર્મ ભરી ડોક્યુમેન્ટ જોડી આપી દેજો. ત્યારબાદ તા.૦૬/૦૧/૨૦૨૧ ના રોજ સરપંચે ફોન કરી જણાવેલ કે, તમારા બન્ને કામ માટે રૂપિયા સાડા છ હજાર થશે. જેને લઈને તેણીના પતિએ થોડુ ઓછું વત્તુ કરવા જણાવતા તેઓ રકઝકના અંતે રૂા.૬,૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા માંગતા ન હોય અરજદારના પતિએ દાહોદ એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. આ ફરીયાદના આધારે એસીબી દ્વારા લાંચના છટકુ ગોઠવ્યું હતું. જેમાં સરપંચ વાલીબેન સુરેશભાઇ લખાભાઇ વણકર આજે કાળી ડુંગરી, બસ સ્ટેન્ડ પાસે, તા-દેવગઢ બારીયા, જી- દાહોદ વાળા સ્થળે રૂપિયા છ હજારની લાંચ લેતા પકડાઈ ગયા હતા.