જામનગર : જેનો ડર હતો એવું જ થયું, છતાં પણ સમય સુચકતા કામ લાગી, શુ છે ઘટના ? જાણો

0
1893

જામનગર : જામનગરના પ્રવાસે આવેલ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાતમાં પગલે રાજ્યભરમાં કુંભ મેળો કરી પરત ફરેલા યાત્રાળુઓ પૈકી છ યાત્રાળુઓ કોરોના પોઝીટીવ આવતા ખતરો ટળયો છે. જામનગર અપડેટ્સ દ્વારા રવિવારે જ આવી ભીતિ દર્શાવી તંત્રને ગંભીર બનવા અપીલ કરી હતી. તંત્રએ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર આવતા ભાવિકોને ટેસ્ટ શરૂ કર્યા છે. આજે જામનગર રેલવે સ્ટેશન પર આવેલ 65 ભાવિકો પૈકી પાંચ દર્દીઓ પોઝીટીવ સામે આવ્યા છે.

કુંભસ્નાન કરવા માટે હરિદ્વાર અનેક લોકો જામનગર પંથકમાંથી ગયા હતાં જે પરત ફરવા શરૂ થયા છે. આજે જામનગર રેલવે સ્ટેશને આવી પહોંચેલી દહેરાદુન-ઓખા ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો પૈકી પાંચ મુસાફરો કોરોના સંક્રમિત મળી આવતા તેઓને હોમ આઇસોલેશનમાં રહેવા તાકીદ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here