ત્રીજી વિધાનસભા 1972: હાલારના રાજકારણમાં માડમ પરિવારનો ઉદય

0
2980

પાંચમી માર્ચ, 1972ના રોજ રાજ્યની ત્રીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 168 બેઠક પર મતદાન થયું હતું. જામનગર જિલ્લાની છ બેઠકો પર કોંગ્રેસ અને અપક્ષો સહિતના 47 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં ત્રણ બેઠકો પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતા. વર્ષ 1972 ની ત્રીજી વિધાનસભાનું જામનગરનું ચિત્ર અત્રે સવિસ્તારથી પ્રસ્તુત કર્યું છે. આ ચૂંટણીની ખાસ વિશેષતા એ હતી કે હાલારના રાજકારણમાં માડમ પરિવારનો ઉદય થયો હતો જે પાંચ દાયકાઓ બાદ પણ યથાવત રહ્યો છે.

કયા કયા પક્ષ હતા મેદાનમાં?

બીજેએસ- ભારતીય જન સંઘ
સીપીઆઈ- કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા
સીપીએમ- કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(મારસિસ્ટ)
આઈએનસી-ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
NCO- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(ઓર્ગેનાઈઝેશન)
SOP-સંયુક્તા સોશ્યલિસ્ટ પાર્ટી
SWA- સ્વતંત્ર પાર્ટી

22 જોડિયા બેઠક

જોડીયા બેઠક પર કુલ પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. આ બેઠકમાં કુલ 67,667 મતદારો પૈકી 35,549 મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી 1916 મત એટલે કે કુલ મતદાનના 5.39% મત રદ થયા હતા. આ બેઠક પર 52.54 ટકા મતદાન થયું હતું.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણે મેદાન માર્યું?

જોડીયા બેઠક પર કુલ સાત ફોર્મ ભરાયા હતા. જેમાં બે ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચી લેતા પાંચ ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. અપક્ષ તરીકે ચૂંટણી લડેલા ભાણજીભાઈ ભીમજીભાઇ પટેલનો વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર પટેલને 18,270 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના મોહનલાલ ગોવિંદજી વાઘેલાને 13038 મત મળ્યા હતા, આમ ભાણજીભાઈનો 5,232 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 15.56 ટકા મત દર્શાવે છે.

કુલ કેટલા ઉમેદવાર? કોને મળ્યા કેટલા મત?

જોડીયા વિધાનસભા પર પાંચ ઉમેદવારો વચ્ચે મતદાન થયું હતું
અપક્ષ ઉમેદવાર ભાણજીભાઈ ભીમજી પટેલને 18,270 મત, કોંગ્રેસના મોહનલાલ ગોવિંદજી વાઘેલાને 13038 મત, અપક્ષ ઉમેદવાર માનસતા એલ એન વકીલને 914 મત, ગોરાભાઈ શ્રીમાળીને 837 મત, ખોડીદાસ કનેરિયાને 574 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 52.54 ટકા મતદાન થયું હતું.

23 જામનગર વિધાનસભા

આ બેઠક પર કુલ 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જામનગર બેઠક પર 74,160 મતદારો પૈકી 42,221 મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. 56.92 ટકા મતદાન થયું હતું. જે પૈકી 1255 મત એટલે કે 2.97 ટકા મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે ખેલાયો જંગ કોણ થયું વિજેતા?

ત્રીજી વિધાનસભાની જામનગર બેઠક પર અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના હમીરકા ખતીજાબેન અલ્લારખાને 15,219 મત જ્યારે અપક્ષ લીલાધરભાઇ પ્રાણજીવનભાઈ પટેલને 20,534 મત મળ્યા હતા. આમ અપક્ષ ઉમેદવાર પટેલનો 5,315 એટલે કે કુલ માન્ય મતના 12.98% મતથી વિજય થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર ? કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર કુલ નવ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી જેમાં અપક્ષ લીલાધરભાઇ પ્રાણજીવનભાઈ પટેલને 20,534 મત, કોંગ્રેસના હમીરકા ખતીજાબેન અલ્લારખાને 15,219 મત, અપક્ષ કેશવલાલ ધાનાણીને 2122 મત, સીપીઆઈના ભીખુભાઈ વાઘેલાને 1897 મત, જ્યારે અન્ય પક્ષો પૈકી સુખલાલ અમૃતલાલ મેતાને 569 મત, મધુસુદન પુરોહિતને 259 મત, કરુણાશંકર આચાર્યને 223 મત, ઈશ્વરદાન ગઢવીને 67 મત, ખેતસીભાઈ ગોરીને 66 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 56.92 ટકા મતદાન થયું હતું.

24 અલિયા બેઠક

આ બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. કુલ 70611 મતદારો પૈકી 30,870 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ 43.72 ટકા મતદાન નોંધાયું હતું. જે પૈકીના 1754 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 5.68% દર્શાવે છે.

કોની કોની વચ્ચે સીધી સ્પર્ધા કોનો થયો વિજય?

અલીયા બેઠક પર કોંગ્રેસના કેપી શાહને 14,682 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવાર પી જાડેજા રઘુવીરસિંહને 7,527 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર શાહનો 7,155 મતથી એટલે કે કુલ માન્ય મત ના 24.57 ટકા મતથી વિજય થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર? કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના કે પી શાહને 14682 મત, અપક્ષ ઉમેદવાર પી રઘુવીર સિંહ જાડેજા 7527 મત, બીજેએસના હીરા મનજી તાડાને 3270 મત, અબ્દુલ્લા જીવાભાઈ સિંધીને 1959 મત ગોવિંદ કરસન ભામભાઈને 710 મત, NCOના હિંમતલાલ પી દવેને 586 મત, પીઠાભાઈ દેસાભાઇ વાઘેલાને 382 મત મળ્યા હતા.

25 કાલાવડ વિધાનસભા બેઠક

ત્રીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં આ બેઠક પર કુલ 74,331 મતદારો નોંધાયા હતા જે પૈકીના 40,247 મતદારોએ પોતાના અધિકારોનો ઉપયોગ કર્યો હતો. 54.15 ટકા થયેલા મતદાન પૈકી 3049 મત એટલે કે 7.58% મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા? કોનો? કેટલા મતથી થયો વિજય થયો વિજય

ત્રીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ જામ્યો હતો આ બેઠક પર ચાર ઉમેદવારો પૈકી કોંગ્રેસના ઉમેદવારે બાજી મારી હતી કોંગ્રેસના ઉમેદવાર ભીમજીભાઈ વશરામભાઈ પટેલને 21,973 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી પોપટભા ભાગવતસિંહજીને 12638 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવારનો 9,335 મતથી એટલે કે કુલ માન્ય મતના 25.10 ટકા મતથી વિજય થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત ?

આ બેઠક પર કુલ ચાર ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કોંગ્રેસના ભીમજીભાઈ વશરામભાઈ પટેલને 21,973 મત, અપક્ષ પોપટભા ભગવંતસિંહને 12638 મત, પ્રેમજીભાઈ વાલજીભાઈ શુક્લાને 1445 મત અને એનસીઓના સરજી કાનજી સાવલિયાને 1142 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 54.15 ટકા મતદાન થયું હતું.

26 જામજોધપુર વિધાનસભા બેઠક

કેટલા મતદારો કેટલું થયું મતદાન ?
આ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. કુલ 60595 મતદારો પૈકી 34254 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 56.53 ટકા મતદાન થયું હતું જે પૈકી 5.63 ટકા એટલે કે 1930 મત રદ થયા હતા.

કોની વચ્ચે થઈ સ્પર્ધા? કોણ થયું વિજેતા?

જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગોરધનભાઈ રવજીભાઈ ફળદુ વિજેતા જાહેર થયા હતા. ગોરધનભાઈને 12,025 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના અપક્ષ ઉમેદવાર વાલજીભાઈ વીરજીભાઈ ભડાણીયાને 6764 મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવારનો 5,261 મત એટલે કે 16.28 ટકા મતથી વિજય થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર ? કોને મળ્યા કેટલા મત ?

આ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થઈ હતી જેમાં કોંગ્રેસના ગોરધન રવજી ફળદુને 12,025 મત, અપક્ષ વાલજીભાઈ વીરજીભાઈ ભડાણીયાને 6764 મત, દોલતભાઈ વસંતરાય ભટ્ટને 4416 મત, અપક્ષ જાડેજા વી દાનુભાને 3173 મત, પાડલીયા જે વાલજી કોલીને 1600 મત, બથવાર અમરસી હમીરને 1468 મત, વીરજી રામ સુતરીયાને 1448 મત, બળવંતસંગ જાડેજાને 282 મત, વસંતરાય નીંડોચા ને 263 મત, કાંતિલાલ મારડિયાને 204 મત અને બીજેએસના શત્રુશલ્યજી કે જે ને 681 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 56 53 ટકા મતદાન થયું હતું.

27 ખંભાળિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો કેટલું થયું મતદાન?

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી ખંભાળિયા બેઠક પર 61,000 53 મતદારો નોંધાયા હતા જે પૈકી 34,750 મતદારોએ મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર કુલ 6.82 ટકા એટલે કે 2368 મત રદ થયા હતા.

કોણ થયું વિજેતા કોનો થયો પરાજય?

આ બેઠક પર અપક્ષ અને એનસીઓ વચ્ચે સ્થિતિ સ્પર્ધા થઈ હતી જેમાં અપક્ષ ઉમેદવાર હેમંતભાઈ રામભાઈ માડમને 15,579 મત મળ્યા હતા જ્યારે એનસીઓ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ-સંસ્થા)ના હરિલાલ રામજી નકુમને 8,379 મત મળ્યા હતા, આમ અપક્ષ હેમંતભાઈ રામભાઈ માડમનો 7200 મતથી એટલે કે માન્ય મત પૈકીના 22.24 ટકા મતથી વિજય થયો હતો.

કેટલા ઉમેદવાર ?કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં કોંગ્રેસના હેમતભાઈ રામભાઈ માડમને 15579 મત, એનસીઓના હરિલાલ રામજી નકુમને 8,379 મત, જ્યારે કોંગ્રેસના આર હરિલાલ ત્રીકમજીને 7503 મત અને અપક્ષ દાવડા આમદ હુસેનને 911 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 56.90 ટકા મતદાન થયું હતું.

28 દ્વારકા વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલા ઉમેદવારો કેટલું થયું મતદાન?

આ બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો . આ બેઠક પર કુલ 75,916 મતદારો નોંધાયા હતા. જે પૈકી 41,721 મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ મતદાનના 4.84% એટલે કે 2019 મત રદ થયા હતા. આ બેઠક પર 54.96 ટકા મતદાન થયું હતું. ત્રીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ખંભાળિયા બેઠક પર કુલ સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી પાંચ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ ગઈ હતી.

કોનો થયો વિજય કોનો થયો પરાજય?

આ બેઠક પર કોંગ્રેસના મારખીભાઈ જેઠાભાઈ ગોરીયાનો વિજય થયો હતો. મારખીભાઇને 23,234 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવાર કેશવજી રાયચુરાને 11,117 મત મળ્યા હતા. આમ મારખીભાઈ ગોરીયાનો 1217 મતથી એટલે 33.52 ટકા મતથી વિજય થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર ? કોને મળ્યા કેટલા મત ?

આ બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. જેમાં કોંગ્રેસના મારખીભાઈ જેઠાભાઈ ગોરીયાને 23,234 મત, અપક્ષ કેશવજીભાઈ રાયચુરાને 11117 મત, બીજેએસના જીવાભાઈ માણેકને 3,505 મત, જ્યારે અપક્ષ ચાવડા વાલાભાઈ નાથાભાઈને 823 મત, કાંતિલાલ ડાયાભાઈ પટેલને 750 મત, અતરી એન ધનસુખરાયને 206 મત અને રમણીકલાલ બી મંગિયાને 67 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 54.96 ટકા મતદાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here