જામનગર : જામનગર જિલ્લામાં યુવા વયે વધતા જતા આપઘાતના બનાવોમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. લાલપુર તાલુકાના ગલ્લા ગામે રહેતા એક પરિવારની શિક્ષિત યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોતાની પુત્રીના સારા ભવિષ્ય ઇચ્છતા પિતાએ શિક્ષિત પુત્રીને કહેલી વાતને લઈને ટેનિનર મનમાં લાગી આવ્યું હતું અને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે.
જામનગરમાં યુવા વયે વધતા જતા આપઘાતના બનાવો સમાજચિંતકો માટે ચિંતાનો વિષય બન્યા છે ત્યાં વધુ એક બનાવ સામે આવ્યો છે. ઘટના છે લાલપુર તાલુકાના ગલ્લા ગામની, જ્યા રહેતા લાલજીભાઇ ખીમજીભાઇ પરમારની પુત્રી અનીતાબેન પરમાર ઉવ 19 વાળીએ ગત રાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની તેણીના પિતાએ જાણ કરતા લાલપુર પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં કોલેજમા અભ્યાસ કરતી પુત્રીના સબંધ બાબતે તેના વાત કરી હતી. પરંતુ તેણીને સગાઇ કરવી ન હોવાથી તેણીને લાગી આવ્યું હતું અને ગળા ફાસો ખાઇ મોત વ્હાલું કર્યું હતું. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.