જામનગર : જામનગરમાં શહેરની કોવીડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, નવા દર્દીઓનો પ્રવાહ નિરંતર રહ્યો છે. ડોકટરો સતત અને નિરંતર જંગ લડી રહ્યા છે. છતાં પણ સ્થિત વધુ ને વધુ સ્ફોટક બનતી જાય છે એમ ગત રાત્રે કલેકટરે બે ફોટા વોટ્સએપ ગ્રુપમાં સેર કરી, નાગરીકોને અંતિમ અપીલ કરતો નિર્દેશ કર્યો છે કે બસ હવે, બહાર ન નીકળો, સ્વમ લોકડાઉન અપનાવી લ્યો, આ સ્થિત પર નીયંત્રણ મેળવવું હવે તમારા જ હાથમાં છે. નાગરિકોએ પણ હાલની સ્થિતિ સમજી ખરેખર વર્તમાન હાલતને સમજી કમસેકમ સ્વૈચ્છિક સાપ્તાહિક લોકડાઉન અપનાવવું જોઈએ તો જ આ અજગરી ભરડો દુર થશે અન્યથા ચિત્ર વધુ બિહામણું બનશે એમાં શંકાને સ્થાન નથી.
જામનગર શહેરની કોરોના હોસ્પિટલ દર્દીઓથી છલકાઈ ગઈ છે. જેનો ચિતાર હોસ્પિટલ પરિશરમાં સતત આવાગમન કરતી એમ્યુલન્સ પરથી મળે છે. હાલ ૧૪૫૦ બેડની આ હોસ્પિટલ હાઉસફૂલ છે. નવા દર્દીઓ ને સ્થાન આપી શકાય એવી કોઈ શક્યતા જ નથી. એમાય બહારના જીલ્લામાંથી જે પ્રવાહ હોસ્પિટલ તરફ ઢળ્યો છે ત્યારથી પરિસ્થિતિ નીયંત્રણ બહાર ચાલી ગઈ છે. ગઈ કાલે કલેકટરે નવી બેડની વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે વધુ બે તસ્વીર અપલોડ કરી નાગરિકોને અપીલ કરી છે. જેમાં સ્પષ્ટ કર્યું છે કે હું જામનગરના લોકોને અપીલ કરું છું કે કોરોના પ્રોટોકોલને અનુશરો, નહિતર આપણે કોઈ સારવાર માટે સક્ષમ નહી રહી શકીએ, તબીબોએ આઠ-નવ દિવસથી આરામ પણ કર્યો નથી.
નાગરિકોએ કોરોના સબંધિત ગાઈડલાઈનનું ચોક્કસથી પાલન કરી તંત્રના ભગીરથ પ્રયાસમાં સહકાર આપવો જોઈએ, તો જ આ ચિત્ર દુર થશે, અન્યથા આવી તસ્વીર હજુ વધુ ખરાબ બનશે. બની શકે તો નાગરિકોએ પણ સ્વેચ્છાએ લોક ડાઉનને અપનાવી અજગરી ભરડો દુર કરવામાં હાથ લાંબો કરવો જ રહ્યો, કલેકટરે રજુ કરેલ તસ્વીર બદલાવી જ જોઈએ, નાગરીકોએ જ આગળ આવું જોઈએ, અન્યથા વધુ ખરાબ પરિસ્થિતિ નિર્માણ પામશે આ પણ વાસ્તવિકતા છે.