જામનગરના બે મેડીકલ છાત્રો યુક્રેનમાં, વાલીઓના ઉચ્ચક જીવ

0
1014

યુક્રેનમાં યુધ્ધની સ્થિતિની શક્યતા વચ્ચે પશ્ર્ચિમ યુક્રેનના ટર્નોપીલ શહેરની મેડીકલ યુનિવર્સીટીમાં ભણી રહેલા જામનગરના બે વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અધ્ધર તાલ થયા છે. યુક્રેઇનમાં રસિયાએ કરેલ આક્રમણ બાદ સ્થિતિ વિકટ બની છે. મોટા ભાગના શહેરોમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. ટર્નોપીલ યુનીવર્સીટી કે ભારત સરકારે એર લીફ્ટ અંગે નિર્ણય ન લેતા વાલીઓમાં ચિંતા પ્રસરી છે. જામનગર જિલ્લા પ્રસાસને રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંપર્ક કરી બંને વિદ્યાર્થીઓ અંગે જરૂરી માહિતી આપી છે.


ચાર દિવસ પૂર્વે વિદ્યાર્થીઓ સાથે થયેલ વાતચીત મુજબ, યુક્રેનની રાજધાનીથી 500 કી.મી. પશ્ર્ચિમમાં મેડીકલ કોલેજમાં ભણતા જામનગરના હમ્મેશ નિમ્બાર્ક નામના એમબીબીએસના ત્રીજા વર્ષમાં ભણતા વિધાર્થી જણાવે છે કે, રાજધાની કીવથી પશ્ર્ચિમમાં આઠ કલાકના મોટર માર્ગે આવેલા ટર્નોપીલ શહેરની સ્થિતિ સામાન્ય છે અને ટર્નોપીલ મેડીકલ યુનિવર્સીટીમાં ઓફલાઈન ભણતર ચાલુ છે. યુનિવર્સીટીએ 30 દિવસની રજા આપીને પડેલા દિવસોનું ફરી શિક્ષણ આપવાની સવલત પણ આપી છે. પરંતુ ઓફલાઈન ભણતર બંધ કરીને કારોના કાળની માફક ઓનલાઈન ભણતરની વિદ્યાર્થીઓની અપેક્ષા જેની યુનિવર્સીટીને રજુઆતો કરવામાં આવી છે. આ યુનિવર્સીટીમાં ગુજરાતના 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, અમદાવાદના વિદ્યાર્થીઓ સારા એવા પ્રમાણમાં છે. આ યુનિવર્સીટીમાં જામનગરના અન્ય એક કવન સરાડવા નામનો વિધાર્થી તેમજ પાટનગર કીવ ખાતે મેડીકલના ચોથા વર્ષમાં ભણતો હોવાનું વિધાર્થીએ જણાવ્યુ છે. બીજી તરફ ગત રાતથી યુદ્ધ જાહેર થઇ જતા યુક્રેનમાં રહેલ વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા વધી છે. રિલાયન્સ ગ્રીનમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે જામનગર કલેકટરને જાણ કરી એમ્બેસી દરમ્યાનગીરી કરે અને યુક્રેનના શિક્ષણ મંત્રાલય અથવા યુનિવર્સીટી સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓને પરત લઇ આવવાની માંગણી કરી છે.

NO COMMENTS