પ્રેમી સાથે વાત કરતી પ્રેમિકાએ અને પત્નીના વિરહમાં પતિએ આપઘાત કર્યો

0
771

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં હાલાર સોલ્ટના
દંગામાં અવેલ ક્વાર્ટરમાં રહેતા એક યુવાને પત્ની રિસામણે ચાલી જતા અને લાલપુર તાલુકાના મેઘપર ગામે ફોનમાં વાતચીત કરતી વેળાએ પ્રેમિકાએ ગળાફાંસો ખાઈ જીવ દીધો છે.

જામનગરમાં બેડેશ્વર પોલીટેકનીક કોલેજની બાજુમા હાલાર સોલ્ટના દંગામા કવાટરમાં રહેતા 34 વર્ષીય ડુંગરભા વિશાભા માણેક નામના યુવાને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે તેની સાથે નોકરી કરતા ભાઈ મુરાભાઇ વિશાભાઇ માણેકએ જાણ કરતા બેડી મરીન પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઈના પોલીસમાં આપેલ નિવેદન મુજબ, મરણ જનારની પત્ની ત્રણ દિવાસ પહેલા પોતાના માવતરના ઘરે રીસામણે રેવા ગઈ હતી. આ બાબતનું ડુંગરભાને મનમા લાગી આવેલ હોય જેથી પોતેપોતાના હાથેગળો ફાસો જીવ દીધો હતો. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કે. કે.ગઢવી સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ચાલતી વાતચીત દરમિયાન પ્રેમિકાને કોઈ વાતે લાગી આવતા તેણીએ ગળાફાંસો ખાઇ જીવ દીધો છે. લાલપુર તાલુકાના મેઘપર ગામે બાપા સીતારામની મઢુંલી પાસે રહેતા ધર્મેશભાઇ રમેશભાઇ પરમારની પુત્રી ચાંદનીબેન ઉવ.૨૦ એ જોગવડ ગામમા રહેતા ધર્મરાજસિંહ માધુભા કેર નામના છોકરા સાથે પ્રેમ સબંધ હોય અને તા. 26મીના રોજ બપોરના દોઢેક વાગ્યાના આસપાસ બન્ને ફોનમા વાતચીત કરતા હતા તે દરમ્યાન કોઇ પણ કારણસર ચંદનીબેને પોતાની હાથે રૂમના પીઢીયા પાપળીમા સાડી બાંધી ગળેફાસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેણીને પ્રથમ ખાવડી ત્યારબાદ જામનગર જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમા લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી.

NO COMMENTS