જામનગર: જિલ્લામાં આગ ઓકતા સૂર્યદેવતા, આ ચાર દિવસ છે ભારે

0
494

જામનગર સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હાલ ઉનાળો આકરા મિજાજે ચાલી રહ્યો છે. આગામી ગરમીનાં દિવસોમાં લુ ની અસરથી બચવા જિલ્લાના નાગરીકોને હીટવેવ દરમ્યાન બહાર નિકળવાનું ટાળવા, શરીર અને માથું ઢાંકીને રાખવા, સફેદ અને ખુલ્લા કપડા પહેરવા છત્રીનો ઉપયોગ કરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓને તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

સીધા સૂર્યપ્રકાશથી બચવા વારંવાર ઠંડુ પાણી પીવા, લીંબુ શરબત, મોળી છાશ, તાળફળી અને નાળિયેરનું પાણી તેમજ ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર એસ. વિગેરે પૂરતા પ્રમાણમાં પીવા, બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો ન્હાવાના પાણીમાં ઉપયોગ કરવા, શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ ન્હાવા, છાંયડામાં રહેવા, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવા, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવા, દુઘ અને માવાની આઇટમો ન ખાવા તેમજ ચા-કોફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શકયતાઓ વધુ હોવાથી આનું સેવન ન કરવા અને ખાસ કરીને દિવસોમાં બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવા સહિતનાં પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

ગરમીના દિવસોમાં માથાનો દુખાવો, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે.

ગરમીની મોસમ દરમ્યાન સારૂ આરોગ્ય જળવાઇ રહે તે માટે વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત, રાત્રિ દરમ્યાન કાળી દ્રાક્ષ અને સવાર-બપોર-સાંજે તરબુચનો ઉપયોગ કરવો તેમજ લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર, ૧૦૮ તેમજ અઘટિત બનાવ બને તો જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ૧૦૨૮૮-૨૫૫૩૪૦૪ ઉપર જાહેર જનતાએ જાણ કરવા નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

NO COMMENTS