જામનગર અપડેટ્સ: જામનગર પંથકના મૂંગણી ગામે અજબ પ્રેમકી ગજબ કહાનીમાં પ્રેમિકા નદારદ થઇ જતા પ્રેમીએ એસીડ પી જીવ દઈ દીધો છે. પ્રેમી યુવાનના મ્ર્રુત્યુંના પગલે પરિવારે સિક્કા પોલીસ દફતરમાં યુવતી સામેં ફરિયાદ નોંધાવી ન્યાય માંગ્યો છે. જેમાં યુવાન અનુસુચિત જાતીનો હોવાનું જણાવાયું છે. પોલીસે યુવાનને મોતના મુખ તરફ ધકેલી દેવા સબબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને તાજેતરમાં ટાઈલ્સ ક્લીનીંગ કરવાનું એસીડ પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ યુવાનના મોત પાછળ પ્રેમિકાની ભૂમિકા હોવાનું જણાવી પરિવારે યુવતી સામે પોલીસમાં રાવ કરી હતી.
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા અશ્વિન મલજીભાઈ પરમાર નામના ૨૫ વર્ષના દલિત જ્ઞાતિના યુવાને એસીડ પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. જે તે વખતે પોલીસ તપાસમાં કોઈ કારણ જાણવા મળ્યું ન હતું, પરંતુ પરિવારજનો દ્વારા મૃતક યુવાનના મોબાઈલ ફોન માં ચેક કરતાં તેને સિક્કા ગામમાં રહેતી દિપાલીબેન જીતુભાઈ સોનછાત્રા નામની લોહાણા જ્ઞાતિ ની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીએ અને તેના પરિવારે નિમ્ન જાતિના હોવાના કારણે લગ્ન થવા શક્ય ન હોવાનું જણાવી લગ્ન કરી લેવાનો ઇનકાર કર્યો હતો. જેથી પ્રેમી યુવાન હતાશ બન્યો હતો, અને એસીડ પી લઈ આત્મહત્યાનું પગલૂ ભરી લીધુ હતું.
આ સમગ્ર પ્રકરણ ખુલ્યા બાદ મૃતક અશ્વિન પરમારના ભાઈ હસમુખભાઈ પરમારે જામનગર ના સિક્કા પોલીસ મથકમાં પોતાના ભાઈને સમાજમાં હલકો પાડવા માટે હડધુત કરવા અંગે, તેમજ મૃત્યુ ના મુખમાં ધકેલી દેવા અંગે દિપાલીબેન જીતુભાઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપી મહિલાની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.