ધ્રોલ: ઉપજ સારી ન થતા ખેડૂતે કર્યો આપઘાત

0
714

જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ગામના ખેડૂતે ગળાફાંસો કયા આપઘાત કરી લીધો છે. ખેતીનું વર્ષ સારું ન થતા આર્થિક ભીષ્મ આવી ગયેલા ખેડૂતે રીક્ષા નો ધંધો શરૂ કર્યો પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળતા આખરે ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

રાજ્યમાં વધતા જતા ખેડૂતોના અઘાતના બનાવવામાં વધુ એક બનાવવાનો ઉમેરો થયો છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગામના અને હાલ રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા નવલભાઇ આયદનભાઇ બાળા ઉવ 44 નામના ખેડૂતે જીવતરનો અંત આણ્યો છે. ગઈકાલે ગોલીતા ગામે પોતાની વાડીએ ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લે ખેડૂતે જીવતરનો અંધાણ્યો છે આ બનાવ અંગે પૃથકના પુત્ર એ જાણ કરતા ધ્રોલ પોલીસ દત્તરના સ્ટાફે ઘરના સ્થળે પહોંચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ધ્રોલ પોલીસે મૃતકનો પુત્ર નું નિવેદન નોંધ્યું હતું.
ચાલુ વર્ષે ખેતીમા વર્ષ નબળુ થતા સારી ઉપજ મળી ન હતી. ખેતીમાં કાંઈ નહીં થતા આખરે નવલભાઈએ રીક્ષા
ડ્રાઇવિંગનો ધંધો શરૂ કર્યો હતો. આ ધંધો શરુ કરવા છતા આર્થિક તંગી રહેતી હતી. જેની ચિંતામાં ગઈ કાલે નવલભાઈએ અંતિમ પગલું ભરી લીધું હતું. સતત આર્થિક ભીંસ અને સતત પરીવારની ચિંતાને લીધે ખેડૂત સતત ગુમસુમ રહેતા હતા હોવાનું પુત્રએ પોલીસમાં જાહેર કર્યું છે. જેને લઈને તેઓએ આપઘાત કર્યો હોવાનું નિવેદનમાં ઉલ્લેખ કરાયો છે.


સતત ચિંતા અને આર્થિક ભારણથી કંટાળી ગઈ કાલે પાંચેક વાગ્યાના સુમારે નવલભાઈએ પોતાની વાડીએ આંબલીના ઝાડ સાથે સુતરના દોરડા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS